Abtak Media Google News

નર્મદા નીરનાં અવતરણ પ્રસંગે  ઉપસ્થિત રહેવા શહેરીજનોને આમંત્રણ આપવા માટે ફરી રહેલા ત્રણ રથ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ગૂ‚વારે રાજકોટનીમુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ પ્રથમ વખતરાજકોટના આંગણે આવી રહ્યા હોય તેઓને વધાવવા શહેરીજનોમાં ભારે થનગનાટજોવા મળી રહ્યો છે. રાજકોટને દૂલ્હનની માફક સોળે શણગાર સજયા છે. રોડ શોના‚ટ પર તો લોકોની આંખ આંજી દે તેવી નયન રમ્ય રોશની કરવામાં આવી છે.તમામ સર્કલોને પણ શણગારવામાં આવ્યા છે. વિજપોલ પર ભાજપના ઝંડા લહેરાય રહ્યા છે.નગર સેવકોએ પોતાના નિવાસ સ્થાને રોશની કરી છે રાજમાર્ગો પર કૃત્રિમ વૃક્ષારોપણ પણ કરવામા આવ્યું છે.

રેસકોર્ષ ખાતે જયાં ૧૮ હજારથી વધુ દિવ્યાંગોને સહાય સાધન વિતરણ કરવામાં આવનાર છે ત્યાં ડોમ ઉભો કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના રોડ શો અને આજી ડેમમાં નર્મદા નીરનાં અવતરણ પ્રસંગે ઉપસ્થિત રહેવા શહેરીજનોને આમંત્રણ આપવા માટે ત્રણ રથ સતત ફરી રહ્યા છે શહેરમાં ભારે ‚ડપ લાગી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.