Abtak Media Google News

પેન્શન સંબંધીત ફરિયાદ માટે ર4 નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડીવીઝન ખાતે તા.1પ ડીસેમ્બરે સવારે 11 વાગ્યે જગજીવનરામ રેલવે ઇસ્ન્ટિટયુટ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન કરાવમાં આવ્યું છે.

પેન્શન-પારિવારિક પેન્શન અથવા સમાધાન સાથે સંબંધીત કોઇપણ ફરીયાદ બાબતે કોઠી કમ્પાઉન્ડ સ્થિત ડીવીઝનલ ઓફીસરના સેટલમેનટ વિભાગને એક બંધ કવરમાં સંબંધીત દસ્તાવેજો સાથે તા.ર4 નવેમ્બર સુધીમાં અરજી કરી શકાશે.

અરજીના ફોર્મેટમાં અરજદારનું નામ, વિભાગ, સ્ટેશન, પીપઓ નં. સેવા નિવૃતિની તારીખ, પેન્શન આપતી બેંકની વિગત કેસની સંક્ષિપ્ત  વિગત વગેરે અરજી પોસ્ટ કરી શકાય છે. ઉકત તારીખ પછી કોઇપણ અરજી ઘ્યાનમાં લેવાશે નહીં.સંબંધીત તમામ પેન્શનરોને ત્વરિત નિવારણ માટે આ પેન્શન અદાલતમાં પોતાના પેન્શન સંબંધીત તમામ નિવારણ માટે અરજી કરવા માટે રેલ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.