રાજકોટમાં આવેલી સૌથી જૂની મહાજન પાંજરાપોળ અસંખ્ય અબોલ જીવોની સેવા કરી રહ્યું છે. ત્યારે કિશોરભાઈ કોરડીયા દ્વારા એકત્રીત કરવામા આવેલી રકમથી પાંજરાપોળ ખાતે અબોલજીવો માટે શેડ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબનાં હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે નમ્રમૂની મહારાજ સાહેબએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતુ કે, જે વ્યકિતએ અબોલ જીવોની સેવા માટે જીવન સમર્પિત કર્યું હોઈ છે તેને વચન સિધ્ધિના યોગ પ્રાપ્ત થાય છે. જે વ્યકિત સ્વાર્થી પ્રકૃતીથી પીડાતા હોઈ તેનેહંમેશા પોતાનો અને પોતાના અને પોતાના કુટુંબીજનોના વિચાર આવતો હોય છે ત્યાર પરમાર્થી વ્યકિતને અબોલ જીવો કે અન્ય જીવોનો વિચાર આવે છે. ત્યારે આ પ્રકારનાં અનુકંપાનો ભાવ થયો તે તિર્થકર બનવાની નિશાની છે. કિશોરભાઈ કોરડીયાએ પોતાનું જીવતું જગતીયું કરીને જે રકમ એકત્રીત કરી તેને અનુલક્ષી અબોલ જીવો માટે શેડનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
Trending
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા
- ગાંધીધામ : ગાંજાના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો