Abtak Media Google News

રવિવારે માનવતા મહોત્સવના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોમાં વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા વિશિષ્ટ ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ: સમસ્ત સનકવાસી જૈન સંઘોના ૩૫,૦૦૦ ી વધારે ભાવિકોનું સામુહિક સંઘ જમણ

માનવતા અને જીવદયાની જ્યોત પ્રજ્વલિત કરીને ભગવાન મહાવીરનાં શાસનમાં પ્રકાશ પારનાર રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ. સા.નો ૪૮મો જન્મોત્સવ ભક્તજનો ગઈકાલથી ૩૦.૦૯ સુધી અષ્ટ દિવસીય જીવદયા અને માનવતાનાં વિવિધ કાર્યો કરીને ઉજવાશે.

ગઈકાલે નમસ્કાર મહામંત્રનાં અનોખા કપલ જાપની સો પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઈવર્સ માટે નિ:શુલ્ક આઈ ચેકઅપ તા મોતિયાના ઓપરેશન કરીને તેમની નેત્ર જ્યોતિનું સંવર્ધન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રસંત પૂ. દ્વારા પ્રેરિત લુક એન લર્ન જૈન જ્ઞાનધામનાં દીદીઓ દ્વારા આજરોજ સવારે જરૂરિયાતમંદ સાધર્મિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કર્યા બાદ દીદીઓ તા બાળકો બપોરે બાલાશ્રમનાં અના બાળકો સો ગેમ, બોધ અને મનોરંજન દ્વારા સમય વિતાવીને તેમને ભોજન તા ગીફ્ટ આપી હતી અને આવતીકાલે મંગળવારના રોજ બપોરે ગુંદાવાડી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમનાં સ્વજનોને અલ્પાહાર તેમજ નવજાત શિશુઓને કપડાં આપ્યાં બાદ પાંજરાપોળમાં જીવદયાનાં કાર્યો કર્યા બાદ સ્ટાફને ભોજન આપીને ગુરુ જન્મોત્સવમાં સહભાગી બનાવશે તેમજ ૨૬.૦૯ને બુધવારે સવારે ૧૦ કલાકે ડુંગર દરબારમાં૨૬૦૦ વર્ષ પહેલાં બેડીઓના બંધનમાં જકડાઈને અઠ્ઠમ તપ કરનાર સતી ચંદનબાળા દ્વારા પ્રભુ મહાવીરને બાકુળા વહોરાવવાની જે ઐતિહાસિક ઘટના ઘટી હતી, તે ઘટનાને તાદ્રશ્ય કરતી નાટિકાની પ્રસ્તુતિ બાદ, તે જ ભાવી બેડીઓનાં પ્રતિકરૂપ બંધનમાં જકડાઈને,  ત્રિદિવસીય ઉપવાસ, એકાસણા કે આયંબિલનું તપ કરનાર ભાવિકો સતી ચંદનબાળાના પરિવેશમાં હામાં સૂપડું લઈ પગમાં બેડીઓ અને અશ્રુધારા સો પૂજ્ય ગુરુભગવંતોના કરકમલમાં બાકુળા વહોરાવીને અંતરભાવોી જન્મદિવસની અભિવ્યક્તિ કરશે.

આ તકે વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, વિરાણી બહેરા મૂંગા સ્કૂલ,  જીનીયસ સુપર કીડ્સ, મેન્ટલી રીટાર્ડેડ સ્પેશિઅલ ચાઈલ્ડ માટેની સંસ ‘પ્રયાસ’ નાં બાળકો તેમજ અન્ય અંધ મૂક, બધિર બાળકો રાસ, નૃત્ય, ભક્તિ અનેપ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રસંત પૂ.ને જન્મદિવસની શુભેચ્છા આપશે અને ૧૦૦૮ જરૂરિયાતમંદ સાધર્મિકોને જીવનોપયોગી અન્નદાન કીટ આપીને સહાય કરવામાં આવશે.

૨૭.૦૯.૨૦૧૮નાં દિવસે અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બર્સ રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના વતન લાઠીમાં સવારે ૦૮:૦૦ કલાકે મહાદેવ ગૌશાળામાં ગાયોને લાપસી ખવડાવી અબોલ જીવોને શાતા પહોંચાડ્યા બાદ ૧૧:૦૦ કલાકે લાઠીની તમામ સરકારી અને બીન સરકારી સ્કૂલનાં ૪૦૦૦ બાળકોને મિષ્ટ ભોજન આપીને ગુરુ જન્મોત્સવની મીઠાશ પ્રસરાવશે તા લાઠીનાં સમસ્ત જૈન ભાવિકોનું સમૂહ સંઘ જમણ યોજાશે. આ દિવસે લુક એન લર્ન જૈન જ્ઞાનધામનાં દીદીઓ મંજુલ પ્લે હાઉસના નાના બાળકોને ફ્રૂટ્સનું વિતરણ કરીને તેમને આનંદિત કરશે. તા.૨૯.૦૯ને શનિવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં ૫૦૦૦ થી વધારે બાળપરમાત્મા ઓને મિષ્ટ ભોજન કરાવવામાં આવશે.

૩૦.૦૯ રવિવારે સવારે ડુંગર દરબારમાં ૮:૩૦ કલાકે માનવતા મહોત્સવમાં દેશ-વિદેશના હજારો ભાવિકો પોતાનાં ઉપકારી ગુરુવર્યનાં ચરણોમાં ભક્તિ ભાવ અર્પણ કરશે જીવદયાના અનેકવિધ કાર્યક્રમો શે. માનવતાની નવી મિશાલ પ્રગટશે.

આ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા વિશિષ્ટ પ્રકારનાં ઉવસગ્ગહરં સ્તોત્રના જાપનાંપવિત્ર પરમાણુઓની દિવ્યતાને અનુભવી સર્વ ભાવિકો ધન્ય બનશે. સમાજ સેવામાં અગ્રેસર એવી૪૮ સંસઓને રૂ. ૪૮,૦૦૦નું અનુદાન આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ તા લાઈફ સંસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માનવતા મહોત્સવના અપૂર્વ અવસરે તા. ૩૦.૦૯ને રવિવારના પૂણ્યાશ્રાવક નગરી રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રમવારઐતિહાસિક સમસ્ત રાજકોટના સનકવાસી જૈન સંઘોનું “સામુહિક સ્વામિવાત્સલ્ય સંઘ જમણ યોજાશે. સર્વ કાર્યક્રમોમાં પધારવા માટે સર્વ માનવતા પ્રેમી ભાવિકોને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.