Abtak Media Google News

ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી ભાષાની મહત્તા અને ગૌરવ – સન્માન વધારવા હેતુ રાજ્યમાં ભાષાનીતિ તૈયાર કરવાની નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત યુનિવર્સિટી સો મળીને આ નીતિ માટે રાજ્ય સરકારનું દિશાદર્શન – માર્ગદર્શન કરે.

મુખ્યમંત્રીએ અમદાવાદમાં યોજાઇ રહેલા પાંચમા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતાં આ નેમ વ્યક્ત કરી હતી.  રૂપાણીએ ભાષાી અલિપ્ત ઇ રહેલી યુવા-બાળપેઢીને પોતાની માતૃભાષા પ્રત્યે વાળવાની નિતાંત આવશ્યકતા સમજાવી હતી. ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વાંચે ગુજરાત જેવા અભિયાનોી સમાજમાં ભાષાવાંચન અને માતૃભાષામાં સર્જન અને માતૃભાષા પ્રત્યેનો આદર વધારવાનો જે યજ્ઞ આદર્યો હતો તેને આગળ વધારવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાને સમૃધ્ધિસભર બનાવવા આ લિટરેચર ફેસ્ટિવલ એક સક્ષમ માધ્યમ બન્યું છે.

મુખ્યમંત્રીએ આ ફેસ્ટિવલ નવોદિત યુવા લેખકો-વિચારકો-સર્જકોને તેમની સર્જનશીલતા અને તે પણ માતૃભાષામાં અભિવ્યક્ત કરવાની તક પૂરી પાડે છે તે માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત  લિટરેચર ફેસ્ટિવલી પુસ્તક વિશેનું એક આગવું મહત્વ ઉભું યું  છે અને તેનાી ગુજરાતી સાહિત્યને વૈશ્વિક સ્તરે પ્રસપિત કરવા માટેની ચોક્કસ દિશા મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જાણીતા ગુજરાતી લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું કે, આ ફેસ્ટિવલી યુવાનો સુધી પહોંચવું છે અને સાહિત્યને ખોળે પણ ઘણું બધું હાંસલ કરી શકાય છે તેવો દ્દઢ વિશ્વાસ યુવાનોમાં ઉભો કરવો છે. સાહિત્યની કદર થાય અને ગુજરાતની અસ્મિતા વધુ ઉજાગર થાય તેવો ફેસ્ટિવલનો પ્રયાસ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પત્નિ શ્રીમતી અમૃતા ફડણવીસે જણાવ્યું કે, નવી યુવા પ્રતિભાઓને આગળ વધારવા માટે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ઉપકારક બની રહેશે. કલા તલવારી વધુ શક્તિશાળી છે તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, સારી વાર્તા, કવિતા યુવાઓને સાચો અને સારો માર્ગ બતાવી શકશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પાંચમા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સાહિત્ય સર્જન અને સાહિત્ય સંબંધી ઉત્કૃષ્ટ પ્રદાન માટે લેખકો-સર્જકોને એવોર્ડઝ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુભાઇ પંડ્યા, જાણીતા લેખક શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય, ગુજરાતના ગણમાન્ય લેખકો, કવિઓ તા સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.