Abtak Media Google News

૧૮ જગ્યાએ કેમ્પ યોજી ૧૫ સપ્ટેમ્બર સુધી રસીકરણની કામગીરી કરવામાં આવશે

ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ભારત દેશમાં ત્રીજા તબક્કા દરમિયાન ૧૬ જુલાઈથી ૯ માસી ૧૫ વર્ષનાં બાળકોને રસીકરણ કામગીરી સુરક્ષિત રીતે ચાલુ કરી છે.

ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો મુખ્યત્વે ધ્યેય ૯ માસી ૧૫ વર્ષનાં બાળકોમાં ૨૦૨૦ સુધી ઓરી નાબુદ કરવી તથા રૂબેલાને નિયંત્રણ લેવાનો છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૧૫૦ થી વધારે ટીમ દ્વારા આ કાર્યક્રમ સુરક્ષિત અમલીકરણ કરાવી છે. હાલમાં શાળાના તથા શાળાએ ન જતા કુલ ત્રણલાખી વધારે ૯ માસથી ૧૫ વર્ષનાં બાળકોને રસીકરણ કર્યું છે.

આ ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમ અંતિમ અઠવાડિયું હોય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦૦% રસીકરણ કરવા વિશિષ્ટ આયોજન કરાયું  છે. જેમાં  આશાવર્કર, આંગણવાડી વર્કર તથા એ.એન.એમ દૈનિક ધોરણે રસીકરણ માટેનો લક્ષ્યાંક સિદ્ધ કરવા વિસ્તારમાં સદાન સર્વેની કામગીરી., ઇન્ડીઅન મેડીકલ એસોસિયેશન તથા ઇન્ડીયન પીડીયાટ્રીક એસોસિયેશનના સહકારી દરેક પ્રાઈવેટ પ્રેકટીશનર તથા બાળરોગ હોસ્પીટલમાં ઓરી રૂબેલાનું સઘન રસીકરણ ચાલુ કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા નાં ૨૧ આરોગ્ય કેન્દ્ર તથા રાજકોટની તમામ સરકારી હોસ્પીટલમાં દરરોજ ઓરી રૂબેલાનું રસીકરણ શરૂ કર્યું છે.શહેરી વિસ્તારમાં ગેર માન્યતાને કારણે બાકી રહી ગયેલા બાળકોને જુદા જુદા વિસ્તારના ધાર્મિક અગણીઓ, ધાર્મિક સંસઓ સાથે મીટીંગ આયોજન કરી ૧૮ જગ્યાએ કેમ્પ ગોઠવેલ છે. શહેરની જુદી જુદી ૨૮ કરટ્રકશન સાઈટ પર મજુર કોલોની વિસ્તારને મોબાઈલ આંગણવાડી દ્વારા સઘન રસીકરણનું માઈક્રોપ્લાનિંગ કરેલ છે.

આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનો ૧૫મી સપ્ટેમ્બર છેલ્લી તારીખ હોય, વિનામૂલ્યે અપાતી આ રસીકરણ કાર્યક્રમમાં દરેક વાલીઓએ પોતાના વ્હાલસોયાને જોડાવા માટે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન  જૈમીનભાઈ ઠાકર તથા મ્યુનિ. કમિશનર પાનીએ રાજકોટવાસીઓને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.