Abtak Media Google News

ગુરુવારની રાતે દાહોદ ઈન્દોર હાઈવે પર બે જીપ વચ્ચે ગોજારા અકસ્માતમાં ઘટનાસ્થળ પર પાંચના મોત નિપજ્યાં. જીપમાં સવાર લોકોમાંથી ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. મધ્યપ્રદેશના કાલીદેવી અને ધામરધા ગામના પરિવારના ૧૪ થી ૧૫ સભ્યો પાલિતાણા ખાતે દર્શન માટે ગયા હતા. દર્શન કરી ફરી રિટર્ન આવેતી વખતે ઇન્દોર હાઇવે ઉપર ભીટોડી ગામમાં સામેથી રોંગ સાઇડે આવેલી અન્ય એક જીપે ધડાકાભેર ટક્કર મારી હતી. સમગ્ર ઘટના બનતાં જીપનો બુકડો બોલી ગઈ હતી. જીપમાં સવાર જૈન પરિવારના પાંચ લોકોના મોત થયા તેમજ અન્ય ઘાયલ લોકોને દાહોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોળીના તહેવારના દિવસે આ કરૂણ ઘટના બની હતી. ત્યારે જૈન પરિવાર માટે ગુરુવારનો દિવસ ભયંકર સાબિત થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.