Abtak Media Google News

લગ્ન બહાર સાથે રહેતી સગીરાને ત્રાસ આપતા ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ ‘તુ

શહેરની ભાગોળે વાવડી ગામે વરૂડી એન્ટરપ્રાઈઝ નામના કારખાનાની ઓરડીમાં સગીરાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલો પ્રેમીને નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ વાવડી ગામે વરૂડી એન્ટરપ્રાઈઝ નામના કારખાનાની ઓરડીમાં લગ્ન વગર પ્રેમી સાથે રહેતી ક્રિશ્ર્ના નામની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના વાલીએ દેવેન્દ્ર મનુભાઈ દેદા ત્રાસથી આ પગલુ ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું હતુ પોલીસે ફરિયાદ પરથી દેવેન્દ્ર દેદા સામે કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતુ.

કેસની સુનાવણી ચાલી જતા અદાલતે બંને પક્ષોની રજૂઆત બાદ બચાવપક્ષની દલીલ અને દસ્તાવેજી પુરાવા બાદ જજ એચ.એમ. પવારે દેવેન્દ્ર મનુભાઈ દેદાને નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કયો છે.બચાવ પક્ષે એડવોકેટ તરીકે રાકેશભાઈ દોશી, પૂર્વી ગાંધી અને ગૌતમ ગાંધી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.