ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦ ટુર્નામેન્ટ પણ રમાવાની છે. જેના અનુસંધાને આજે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.ઈગ્લેન્ડની ટીમ અમદાવાદના સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે પેટીએમ ટી. ૨૦ સીરીઝના પાંચ મેચ ઈગ્લેન્ડની ટી રમવાની છે.તા.૧૨ માર્ચ, ૧૪ માર્ચ, ૧૬ માર્ચ, ૧૮ માર્ચ અને ૨૦ માર્ચનાં રોજ આ મેચ રમાશે.ઈગ્લેન્ડ સામેના પાંચ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા સીનીયર સીલેકશન કમીટીએ જે ટીમની પસંદગી કરી છે તેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વા.કેપ્ટન, કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડયા, રીષભ પંત વિકેટકીપર, ઈશાન કિશન વિકેટકીપર, યદુવેન્દ્ર ચહર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટીયા, ટી. નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચહર, નવદીપ સૈની, સાર્દુલ ઠાકુર છે.
Trending
- Vivoએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને આપી એક નવી ભેટ…
- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી
- શ્રીનિધિ શેટ્ટીની આ અદાએ ફેન્સના દિલ જીત્યા
- મહિન્દ્રા 3X0 ઔટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો નવો સુપરસ્ટાર…
- સાપ ઉનાળામાં જ કેમ તેના દરમાંથી બહાર આવે છે?