Abtak Media Google News

અમદાવાદના વેપારીએ ૩૯,૨૦૦ લેખે ચાંદીની ખરીદી કરી: કેન્દ્ર સરકારની તિજોરી છલકાય

આવક વેરા વિભાગ દ્વારા આજરોજ ચાંદીના દાગીનાની હરાજી કરવામાં આવી હતી. જેમાં હરાજી પહેલા આવકવેરા વિભાગે ચાંદીની દાગીનાની શુઘ્ધતા તેના વજન સહીતની ચકાસણી કરવા માટે લેબ રીપોર્ટ કરવા સહિતની કામગીરી કરી હતી. ચાંદીના દાગીના નિહાળવા માટે રાજકોટ, જામનગર, અમદાવાદ, મોરબી સહીતના શહેરોમાંથી આશરે ૩પ થી વધુ વેપારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.Dsc 0385

આવકવેરા વિભાગે ચાંદીના હરાજી કરીને ટેકસ વસુલ કર્યો છે. હરાજીને સફળ બનાવવા ટી.એસ. ટીનવાલા, અને અજીતકુમાર સિંહાના માર્ગદર્શન હેઠળ આવકવેરા વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.Dsc 0396

હરાજીમાં રાજકોટના ગીરીરાજ ટ્રેડીંગ અને અમદાવાદના રાજેન્દ્રકુમાર રમણલાલ ચોકસી બન્ને પેઢી વચ્ચે બોલી બોલાઇ હતી જેમાં રાજેન્દ્રકુમાર રમણલાલ ચોકસીએ રૂ ૩૯,૨૦૦ ના ભાવ લેખે ચાંદીની ખરીદી કરી છે. જેથી કેન્દ્ર સરકારની તિજોરી છકલાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.