Abtak Media Google News

ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા છે. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી

મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેથી સુરતમાં પણ પેસેન્જરની હાલત કફોડી થઈ હતી.

મહારાષ્ટ્ર હિંસાની અસર સુરતમાં જોવા મળી રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને રેલી રૂપે વિરોધ નોંધાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ ઉધનાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન ઉધના સ્ટેશન નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. ઉધના સ્ટેશન પર બે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.