Abtak Media Google News

વડિયા ખાતે કશાકોત્સવ નુ આયોજન વડિયા શ્રી દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર  ખાતે રાખવામાં આવ્યુ હતુ.આ શાકોત્સવ ના આયોજક સ્વામી નારાયણ મંદિર વડિયા તરફથી રામસ્વામી આનંદ સ્વામીસ્વામી અને સંત મંડળ વડિયા તરફથી સહુ ભકતજનોને નીમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું.

વડિયાના કૃષ્ણપરા વિસ્તારમા આવેલ શ્રી દિવ્યધામ સ્વામીનારાયણ મંદીર ખાતે શાકોત્સવ ઉજવાયો જેમા સ્વામીનારાયણ સંત આનંદસ્વામી દ્વારા પ્રવચન કરી સ્વામીનારાયણ ભગવાન વીષે હરી ભકતોને જ્ઞાન આપેલ આ તકે રામસ્વામી તથા બહારના સ્વામી પધારેલ અને વડિયા ગામ તેમજ આજૂ બાજૂ ના ગામે-ગામ થી હરિભક્તો મોટી સંખ્યામા ઉમટી પડેલ અને હરીભકતોએ બપોરના સમયે પ્રસાદ લીઘેલ તેમજ રામસ્વામી,આનંદ સ્વામી અન્ય સ્વામીઓ દ્વારા શાકનો વધાર કરવામા આવેલ હતો તેમજ હરિભક્તો એ સ્વામિનારાયણ ભગવાન મંદિરના દર્શન અને પ્રસાદ નો લાભ બહોળી સંખ્યામાં લીધો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.