Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ. ડુંગરસિંહજી મ.સા.ની કાલે ૧૯૯મી પુણ્યતિથિ

જૈન દશેનમાં સમયક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું નામ સૌ ધમે પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ – સાધ્વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં – તારયાણં,સ્વ – પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા – ધમે લાભ આપતા દ્રશ્યમાન થાય છે. આજે ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્યો છે.ગોં.સં.ના સાધુ – સાધ્વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોડેર સુધી જૈન ધમેનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્યા છે તે મહા પુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.

કાલે વૈશાખ સુદ પૂનમના રોજ તેઓની ૧૯૯મી પૂણ્ય તિથી સમગ્ર દેશમાં તપ – ત્યાગ સાથે ઘરે રહીને જ ઉજવાઈ રહી છે. ત્યારે ચાલો…આપણે સૌ ઉપકારી પૂ.આચાર્ય ભગવંતના જીવનમાં ડોકીયું કરી પાવન બનીએ. વિ.સં.૧૭૯૨ માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્કાર સંપન્ના રત્નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધમે નિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરીવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્વપ્નમાં લીલોછમ પવેત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્મ થનાર બાલૂડાનું નામ ” ડુંગરસિંહ ” રાખ્યું. બદાણી પરીવાર એટલે પૂ.સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરીવાર.નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરીવાર.એક વખત પરીવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. પૂ. ગુરુદેવ રત્નચંદ્રજી મા.સા.નુ વૈરાગ્ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીગ પોંઈટ આવ્યો.મનોમન નક્કી કર્યું કે બસ…હવે આ સંસારમાં રહેવું જ નથી. પૂ.રત્નચંદ્ગજી મ.સા.પાસે ભર યુવાન વયે સંયમ ધમેનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂણે કર્યો.

પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વષે સુધી નિદ્ગાનો ત્યાગ કરી તત્વ જ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્યા પછી તપ અને સાધના જ કરવાની હોય. વિ.સં.૧૮૪૫ મહા સુદ પાંચમ ગોંડલ સ્ટેટ ખાતે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. ગોં.સં.ના સંસ્થાપક આચાર્ય તરીકે પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયાં.ચતુર્વિધ સંઘમાં આચાર વિશુધ્ધી લક્ષે વિ.સં.૧૮૬૧ માં પૂ.સાધુ – સાધ્વીજીઓનું સંમેલન કરી નિયમો એટલે કે સમાચારી બનાવી.તેઓ વારંવાર કહેતા કે આચાર્ય એટલે સ્વયં પંચાચારનું પાલન કરે અને ચતુર્વિધ સંઘમાં પાલન કરાવે.સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અંનુસાર તેઓ દીવબંદર, પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ, ઝાલાવાડ સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન – બાન અને શાન વધારી.શરીર અટક્યુ ત્યારે ૧૮૭૧ ચૈત્ર સુદ ૧૫ થી ગોંડલમાં શ્રાવકોની વિનંતીને સ્વીકારી સ્થિરવાસ સાથે આત્મ રમણતામાં લાગી ગયાં. તેઓ વિનય, વિવેક, વિચક્ષણતા, કરૂણા, સમય સૂચકતા સહિત અનેક સદ્ ગુણોના સ્વામી હતા.

તેઓને પોતાનું મૃત્યુ નજદીક દેખાતા વિ.સં.૧૮૭૭ ફાગણ સુદ તેરસના સોનેરી સૂર્યોદયે અનશન વ્રત અંગીકાર કરી અંતિમ મનોરથને હાંસલ કર્યો.વૈશાખ સુદ ૧૫ ના ચત્તારી શરણં પવજ્જામિના ભાવ સાથે સમાધિભાવમાં લીન થઈ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોક તરફ પ્રયાણ કર્યુ. તેઓએ ૮૪ વષેની ઉંમરમાં છ દાયકા ઉપરાંત સંયમ જીવનનું રૂડી રીતે પાલન કરી ૩૨ વષે આચાર્ય પદને દીપાવી ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયની ગરીમા વધારી સ્વ – પરના કલ્યાણ સાથે જિન શાસનનું નામ ઉજ્જવલ કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.