Abtak Media Google News

આજે જીવનલીલા પ્રસંગ કથા અને ધૂન ભજન, કાલે ગૌ કથા તથા પ્રાસંગીક પ્રવચનો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

બ્રહ્મ મંત્ર ‘ૐ હ્રી રામ જય રામ જય જય રામ’ની અખંડ ધૂન સત્યયુગ સંસ્થાપન પ્રલય નિવારણ તથા ગોમાતા સહિત સુર્વ મુક પ્રાણીઓની રક્ષા માટે સત્યયુગ રામજી મંદિર ન્યાલભગત અન્નક્ષેત્ર ગોંડલ રોડ, રાજકોટમાં છેલ્લા ૨૭ વર્ષથી અવિરત ચાલી રહી છે. તેમજ ગોંડલમાં પણ છેલ્લા ૩૮ વર્ષથી આ બ્રહ્મ મંત્રનીઅખંડ ધૂન ચાલી રહી છે.પ્રભુ સત્ ચિત્ આત્મનના શતાબ્દી મંગલ મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં આજે પ્રાગ્ટય આરતી, શતાબ્દી વર્ષના અંકનું વિમોચન, શોભાયાત્રા સત્યયુગ રામજી મંદિર, ગોંડલ રોડથી નીકળી ભકિતનગર સ્ટેશન ચોક, વિરાણી ચોકથી કમીશ્નર બંગલો થઈ યાજ્ઞીક રોડથી માલવીયા ચોકથી ગોંડલ રોડ થઈ માલવીયા વાડી પાસે સમાપન થઈ હતી. આ શોભાયાત્રા દરમ્યાન બ્રહ્મ મંત્ર ‘ૐ હ્રી રામ જય રામ જય જય રામ’ની ભકત અશોકભાઈ ભાયાણી દ્વારા સંગીતમય ધૂન બોલાવવામાં આવી હતી. આ શોભાયાત્રાનું ચોકે ચોકે ધાર્મિક તથા સામાજીક સંસ્થાઓ દ્વારા અને‚ સ્વાગત કરવામાં આવશે આ ઉપરાંત બપોરે વિશેષ મહાઆરતી, સાંજે ૪.૩૦ કલાકે જીવનલીલા પ્રસંગ કથા રાત્રે ૯ કલાકે ભકત જયંતીભાઈ પટેલ તથા કિશોરભાઈ શાહના ધૂન ભજન યોજાશે આવતીકાલે સવારે ૯ કલાકે ગૌ કથા, સવારે ૧૧ કલાકે પ્રાસંગીક પ્રવચનો તથા તા.૫ સુધી દરરોજ સાંજે ૬ થી ૮ દરમ્યાન વિશેષ સમુહ ધુન રાખવામાં આવેલ છે. આ પાવન પ્રસંગે સર્વ ભકતજનોએ ભાવ ભકિત પૂર્વક ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.