Abtak Media Google News

જામનગરના નહેરના કાંઠે આવેલા એક બ્યુટીપાર્લરમાં તેમાં જ નોકરી કરતી યુવતીએ અકળ કારણસર ગળાફાંસો ખાઈ લીધો છે. બ્યુટીપાર્લરના માલિકો બહારગામ ગયા હોય તેઓને પોલીસે જાણ કરી છે.

જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા નહેરના કાંઠા વિસ્તારમાં આવેલા શ્રી બ્યુટીપાર્લરમાં આજે બપોરે એક યુવતીએ ગળાફાંસો ખાધો હોવાની પોલીસને જાણ કરવામાં આવી છે. જાણના પગલે દોડી આવેલા પોલીસ કાફલાએ મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ખસેડયા પછી હાથ ધરેલી તપાસમાં ખૂલ્યું છે કે, મનિષા નામની ઉપરોક્ત યુવતી તે બ્યુટીપાર્લરમાં નોકરી કરે છે, જ્યારે બ્યુટીપાર્લરના માલિકો થોડા દિવસથી બહારગામ ગયા હોય તેને સંભાળવાની જવાબદારી મનિષાને સોંપવામાં આવી હતી તે દરમ્યાન આજે સવારે બ્યુટીપાર્લરમાં જ મનિષાએ અકળ કારણસર ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસ વધુ વિગત એકત્ર કરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.