Abtak Media Google News

પ્રેમીકાને મળવા ગયેલા યુવકને માર મારી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો

જામનગરના લાલપુર ગામે રહેતો અને મજુરી કામ કરતા દલિત યુવાનને પ્રેમીકાના પરિવારજનોએ મારમારી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દેવાની ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાવ અંગેની વિગત મુજબ જામનગરના લાલપુર ગામે ગોહિલવાસમાં રામાપીરના મંદિર સામે રહેતા હસમુખભાઈ ખેતાભાઈ ગોહિલ (ઉ.વ.૪૭) નામના દલીત પ્રૌઢે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓને સંતાનમાં બે દીકરા અને ત્રણ દિકરી છે. જેમાં નાનો દિકરો અશોક ઉર્ફે કાનો સેન્ટીંગની મજૂરી કામ કરતો હોય ગઈકાલે તેનો પુત્ર અશોક ઉર્ફે કાનો (ઉ.વ.૧૯) ગઈકાલે સાંજના સમયે કાનાભાઈ રાજાભાઈ ચાવડાના ઘરે મજૂરીકામના પૈસા લેવા જાવ છું તેમ કહી ઘરેી નિકળ્યો હતો. ત્યારબાદ પુંજાભાઈ ધુલીયાનો દીકરો પ્રકાશ તેના ઘરે આવી વાત કરી હતી કે, તમારા દીકરાને લાગી ગયું છે. દવાખાને છે. તેમ કહેતા હસમુખભાઈ ગોહિલ તેના બાઈક પાછળ બેસી દવાખાને ગયા ત્યારે સરકારી દવાખાને પહોંચતા ત્યાં તબીબે તેના પુત્ર અશોક ઉર્ફે કાનાને મૃત જાહેર કર્યો હતો.

7537D2F3 3

વધુમાં હસમુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ બનાવ બનવાનું કારણ એ છે કે તેના દીકરા અશોક ઉર્ફે કાનાની લાશ પોલીસને લાલપુરના ધરારનગર ઢાંઢર નદીના પુલ પાસે રહેતા કાસમ નુરશાહ શાહમદારના રહેણાંક મકાનેી મળી હોય અશોક ઉર્ફે કાનાને કાસમ નુરશાહની દીકરી રજીયા સામે પ્રેમ સંબંધ હોય અને આ બાબતનો ખાર રાખી રજીયા કે તેના પરિવારના કોઈ પણ સભ્યોએ અશોક ઉર્ફે કાનાને શરીરે ધોકા વડે તા ઢીકાપાટુનો મારમારી દોરડા કે રસ્સી વડે ગળામાં ગળાફાંસો આપી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસ મકના પીએસઆઈ બી.એસ.વાળાએ તપાસ હા ધરી પ્રેમીકા રજીયા અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરવા તજવીજ હા ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.