Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટમાં પ્રાર્થના મંદિરમાં ઘનશ્યામ મહાપ્રભુ અને હરિકૃષ્ણ મહારાજની સમક્ષ પાંચ હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી સુંદર ડિઝાઈન બનાવી દીપમાલા ગોઠવવામાં આવેલ. પ.પૂ.સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ મહાનિરાજન આરતી ઉતારી ત્યારે દીપમાલાના દર્શન સૌ ભાવિક ભાઈ-બહેનો અદભુત રીતે કરી ભાવવિભોર બની ગયા હતા.

રંગબેરંગી કોડિયામાં રંગબેરંગી દીવડાઓની જયોત સૌના ચિતને આકર્ષિત કરતી હતી. ભગવાન સ્વામિનારાયણે દિવાળીના દિવસે પોતાના સાનિઘ્યમાં દીપમાલાનું આયોજન કરેલ તે દ્રશ્યને યાદ કરી સૌ ભાવવિભોર બની ગયા હતા. ભગવાન સ્વામિનારાયણે ઉત્સવપ્રિય ભગવાન હતા તેમને જુદા જુદા ઉત્સવો ગઢડા, વડતાલ, સાળંગપુર, કારિયાણી, પંચાળા, લોયા, અમદાવાદ, જેતલસર, ડભાણ વગેરે ગામોમાં હજારો હરિભકતોની હાજરીમાં નિવેદન કર્યા હતા. જેમાંનો એક દિવાળીના દિવસે દીપમાલા પુરી કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.