Abtak Media Google News

શ્રીજી ઇલેવન અને રાઇજિંગ સ્ટાર ઇલેવન ટકરાશે: વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ, બેસ્ટ બોલર, બેટસમનેને આકર્ષિત ટ્રોફી આપી નવાજવાશે: સમાજના આગેવાનો અને ઉઘોગપતિઓ આપશે હાજરી

સંત ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા પાટીદાર પ્રીમીયર લીગ ૨૦૧૯નું ધમાકેદાર આયોજન મોરબી રોડ ખાતે કરાયું છે. જેમાં આજે ફાઇનલ મેચ શ્રીજી ઇલેવન અને રાઇઝીંગ સ્ટાર ઇલેવન વચ્ચે રમાશે. દરેક ક્રિકેટપ્રેમીઓને ફાઈનલ માં ખાસ હાજર રહેવા આયોજક કમીટી દ્વારા અનુરોધ કરાયો છે. સતત ત્રીજા વર્ષે સફળતાપૂર્વક ધમાકેદાર આયોજન.  ટ્રસ્ટ દ્વારા કરાયું છે.

આજની વિજેતા ટીમ ને ૩૫૫૫૫/- રૂપિયા રોકડ તેમજ રનર્સઅપ ટીમ ને ૧૫૫૫૫/- રૂપિયા રોકડ તેમજ આકર્ષિત ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે તેમજ બેસ્ટ બેસ્ટમેન અને બેસ્ટ બોલરને પણ ટ્રોફી આપવામાં આવશે અને વધુમાં જે ટીમ આખી ટુર્નામેન્ટમાં ખેલદિલી દાખવી હશે તેને ફેરપ્લે એવોર્ડ આપવામાં આવશે. આજની ફાઈનલ મેચમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા વિજેતાને ટ્રોફી આપવામાં આવશે મેચ ૮:૦૦ વાગ્યે, જકાત નાકા પાસે, મોરબી રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે.

આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા ટ્રસ્ટ ના પ્રમુખ ભરતભાઈ પીપળીયા ડો. પાર્થ ઢાંકેચા, એડવોકેટ ચેતન ચભાળિયા, વિશાલભાઈ રામાણી, અતુલભાઈ કમાણી, વિમલભાઈ મુંગરા, પરેશભાઈ લીંબસીયા, કૈલાસભાઈ ચભાળિયા, પરેશભાઈ ઢોલરીયા, ભૂપતભાઈ કાનાણી, રમેશભાઈ લુણાગરિયા, દિલીપભાઈ મુંગરા, તેમજ પીપીએલની યુવા કમિટીએ જહેમત ઉઠાવીને આયોજન ને સફળ બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.