Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે પ્રિયા વોરિયર વિરુદ્ધ ચાલી રહેલા દરેક કેસ સામે રોક લગાવી દીધી છે. કોર્ટે પોલીસને આદેશ આપ્યા છે કે, પ્રિયા વિરુદ્ધ આગામી સુનાવણી સુધી કોઈ અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પ્રિયાએ તેના વિરુદ્ધ ચાલી રહેલા કેસને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી. તેની ફિલ્મ ઓરુ અદાર લવના એક ગીત માણિક્ય મલરાય પૂવી સામે અમુક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, પ્રિયા અને ફિલ્મના ડિરેક્ટર ઓમલ લુલૂ પર ફિલ્મ ઓરુ અદાર લવના એક ગીત ‘માણિક્ય મલરાય પૂવી’ પર અમુક લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. આ સંબંધી પ્રિયા પર તેલંગાણાના ફલકનુમા અને મુંબઈમાં કેસ ફાઈલ કર્યો હતો. FIR દાખલ કરનાર લોકોનું કહેવું છે કે, આ ગીતથી મુસ્લિમ સમુદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.