Abtak Media Google News

શહેરનાં જંગલેશ્ર્વરમાં રહેતા શિતલબેન જીવણભાઈ મકવાણા નામની ૨૬ વર્ષિય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના ભાઈ બહાદૂર મકવાણાએ શ્રીરામ મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેડીંગ નામના કારખાનેદાર ધર્મેશ તેના પિતા પ્રફુલભાઈ અને તેની માતા વીજુબેન ચાંડપાના ત્રાસથી આ પગલુ ભરી લીધાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું હતુ.

પ્રફુલભાઈ ચાંડપાએ આગોતરા જામીન અરજી કરેલી જે કામમાં એડી. સેશન્સ જજ એમ.એમ. બાબીએ બંને પક્ષોની દલીલ સાંભળી, હાઈકોર્ટનાં જજમેન્ટ ધ્યાને લઈ પ્રફુલભાઈ ચાંડપાની આગોતરા જામીન અરજી મંજૂર કરતો હુકમ કરેલો છે. અરજદાર તરફે રાજકોટના એડવોકેટ અશોક ઠકકર, ક્રિશ્ર્નાબેન એ. ઠકકર તથા બિનાબેન નિમાવત રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.