Abtak Media Google News

દેશ-વિદેશમાંથી ૭૦ લાખ લોકો ઉપસ્થિત રહી ધન્યતા પ્રાપ્ત કરશે: સમગ્ર મહોત્સવનું ૮૦૦ વિઘામાં આયોજન જયારે ૩૦૦ વિઘામાં યજ્ઞશાળા: ઉંઝાનાં લોકો મહેમાનોને આપશે ઉતારો: ૧૫૦૦૦ બહેનો મહેંદી મુકી કાર્યક્રમને શોભાવશે: તૈયારીઓ અંતિમ ચરણોમાં, ૨૯ કમિટી કાર્યરત: શહેર સંગઠન સમિતિનાં અગ્રણીઓ ‘અબતક’નાં આંગણે

ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા દ્વારા તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન યોજાનાર લક્ષચંડી મહોત્સવની તડામાર તૈયારીઓ છેલ્લા છ માસથી થઈ રહી છે જે પૂર્ણતાને આરે છે. આ મહોત્સવ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષચંડી મહોત્સવમાં ૬૦ થી ૭૦ લાખ ભકતો દર્શન માટે આવશે તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ૮૦૦ વિઘા જમીનમાં યોજાનાર સદીનો સૌથી મોટો યજ્ઞ થવા જઈ રહ્યો છે. લક્ષચંડી મહાયજ્ઞ મીડિયા સમિતિનાં ક્ધવીનર (રાજકોટ) પ્રો.ડો.જે.એમ.પનારાનાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૯માં યોજાયેલ ઉંઝા મંદિરની અઢારમી શતાબ્દી રજત જયંતિ મહોત્સવની ઉજવણીના દશાબ્દી વર્ષ અંતર્ગત આ લક્ષચંડી મહોત્સવનું આયોજન થયેલ છે.

જન્મારાઓમાં આવા પ્રસંગો વારંવાર આવતા નથી. દેશ અને દુનિયાના તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મો, સંપ્રદાયો આ યજ્ઞમાં જોડાઈ શકે અને ભાગ લઈ શકે તેવી વિશાળ ભાવનાથી સમગ્ર આયોજન થઈ રહ્યું છે. નાનામાં નાનો માણસ પણ રૂ.૨૦૦/-ની હુંડી લઈ માંનો દીવો સ્વરૂપમાં આહુતિ આપી શકે છે, તો રૂ.૧૧,૦૦૦/- આપી દૈનિક પાટલાના યજમાન પણ થઈ શકાય છે. શાસ્ત્રોમાં યજ્ઞ અને આહુતિનું અનેરું મહત્વ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે યજ્ઞ નારાયણો હરિ: યજ્ઞએ નારાયણનું સ્વરૂપ છે. ભગવાન નારાયણ પોતે જ યજ્ઞમાં અપાતી આહુતિ સ્વીકારે છે. પરોક્ષ રીતે યજ્ઞોથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે. આવા યજ્ઞો સર્વજન હિતાય – સર્વજન સુખાય થતા હોય છે. આ યજ્ઞની ખાસ વાત એ છે કે યજ્ઞની જયોત લાકડાનાં ઘર્ષણથી પ્રગટાવવામાં આવશે. અત્યારે ઉંઝા તીર્થમાં દરરોજ મહોત્સવ જેવું વાતાવરણ મંદિર પરિસરમાં જ નહીં પરંતુ સમગ્ર ઉંઝા અને આસપાસનાં ૨૫ કિમીનાં વિસ્તારમાં દેખાઈ રહ્યું છે.

Dsc 3011

અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારનાં ૯ જિલ્લા અને કચ્છ જિલ્લા સહિત ગામડે-ગામડે ઉમિયા માતાજીની કંકોત્રી (માંનુ તેડુ) તથા માતાજીની હુંડી (માં નો દિવો)નાં વિતરણની કામગીરી પુરજોશમાં ચાલુ છે. હજારો કર્મઠ કાર્યકર્તાઓ ઉત્સાહ અને થનગનાટથી દિવસ-રાત જોયા વિના કાર્ય કરી રહ્યા છે. ઉમિયા માતાજી મંદિર સીદસરની રાજકોટ શહેર સંગઠન સમિતિનાં ક્ધવીનર કાંતિભાઈ ઘેટીયા, મંત્રી પ્રફુલભાઈ કાથરોટિયા, નાથાભાઈ કાલરિયા, જગદિશભાઈ કોટડિયા, કાંતિભાઈ માકડિયા, વિનુભાઈ મણવર, નાણા સમિતિનાં ક્ધવીનર ગૌતમભાઈ ધમસાણિયા,   પ્રો. ડો. જે.એમ. પનારા ઓધવજીભાઈ ભોરણીયા તથા ઉમિયા માતાજી મંદિર સીદસરની રાજકોટ શહેર સંગઠન સમિતિની સમગ્ર ટીમને રાજકોટ શહેરની વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ ઘરે ઘરે રૂબરૂ જઈને માં ની કંકોત્રી પહોંચાડી રહી છે. રાજકોટ શહેરનાં તમામ વોર્ડમાં સ્વયંસેવક ભાઈઓ તથા બહેનો ખુબ જ સુપેરે કામગીરી નિભાવી રહ્યાં છે.

૧૮મી શતાબ્દિ બાદ પ્રથમવાર યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહપ્રધાન અમિતભાઈ શાહની સાથે-સાથે દેશનાં ચાર ક્ષેત્રોમાં આવેલા ચાર મઠનાં જગદગુરુ શંકરાચાર્ય પૈકી સ્વામી સ્વરૂપાનંદ, સરસ્વતીજી અને નંદેશ્ર્વર સરસ્વતીજી સહિત ત્રણ શંકરાચાર્યજી ખાસ ઉપસ્થિત રહેનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત ૧૦૦૮ મહામંડલેશ્ર્વર સ્વામી ડો. ઉમાકાન્તજી સરસ્વતીજી મહારાજ (હરિદ્વાર), પ.પૂ. મોરારીબાપુ (ગુજરાત), ૧૦૦૮ મહામંડલેશ્ર્વર આત્મચેતનાનંદગીરીજી – ગુડગાંવ, હરિયાણા, દીદીમાં સાઘ્વી ઋુતંભરાજી, પૂજય મુકતાનંદબાપુ – પ્રમુખ, ભારત સાધુ સમાજ-જુનાગઢ તથા સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી-અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ ધર્મસભામાં આર્શીવચન આપવા પધારશે. હિન્દુ સંસ્કૃતિનાં આ દિવ્ય, ભવ્ય, અલૌકિક અને અવિસ્મરણીય અવસરમાં દેશનાં તમામ લોકોની મંગલમય ઉપસ્થિતિ સમગ્ર સમાજ માટે પાવનકારી બની રહેશે. સૌને પધારવા માં ઉમિયાનું તેડું છે.

શહેર મંદિર સંગઠન સમિતિનાં ક્ધવીનર કાન્તિભાઈ ઘેટીયા, નાથાભાઈ કાલરિયા, કાન્તિભાઈ માકડિયા, જગદીશભાઈ કોટડિયા, પ્રફુલભાઈ કાથરોટિયા (મંત્રી), મીડિયા સમિતિનાં ક્ધવીનર પ્રો.ડો.જે.એમ.પનારા, નાણા સમિતિનાં ક્ધવીનર ગૌતમભાઈ ધમસાણિયા, સભ્ય ઓ.વી. ભોરણીયા, વિનુભાઈ મણવર, જીજ્ઞેશ કાલાવડીયા, હરીભાઈ કલોલા વિગેરે અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.