Abtak Media Google News

ગઇકાલે રાજકોટમાં વડાપ્રધાન આવી રહ્યા હોય ત્યારે તેનો વિરોધ કરવા જઇ રહેલા પાસના કાર્યકરની અટકાયત કરાઇ હતી સૌરાષ્ટ્રના ક્ધવીનરોને નજર કેદમાં રખાયા હતા.

જાણવા મળતી વિગત પ્રમાણે ગઇકાલે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં પાસ દ્વારા અનામતના માંગ યોગ્ય છે અને ગુજરાતમાં પાટીદારો ઉપર વગર વાંકે જીલમ ગુજારવામાં આવી રહ્યો છે. તે માટે કાર્યક્રમમાં વિરોધ કરવા જઇ રહેલા જીલ્લા મહીલા ક્ધવીનર રેખાબેન સિણોજીયા, પાનેલીના ક્ધવીનર જતીન ભાલોડીયા, ભાયાવદરના ક્ધવીનર નવીનભાઇ દેદકીયા, જસદણના કલ્પેશ પટેલ, પડધરીના સુધીરભાઇ કતાણીયા, વિનુભાઇ ચારોલા, સતીષભાઇ વડગામા સહીતનાઓને ગતરાત્રે તેમની ઘરેથી ઉઠાવી ગોંડલ અટકાયત કરી હતી જયારે સૌરાષ્ટ્ર પાસ ક્ધવીનર લલીત વસોયાને પારિવારીક લગ્ન પ્રસંગ હોય તેમને ધોરાજીમાં તેમને ઘરી પોલીસ સ્ટાફે રાત્રે નવ વાગ્યા સુધી નજરે કેદ રાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.