Abtak Media Google News

૧૧૪ જાહેરનામા ભંગ અને ૯૨ વાહનો ડિટેઈન કરાયા કોરોના સંક્રમણને અટકાવવા લોકો ઘરમાં રહ્યાં સુરક્ષીત

હાલમાં સમગ્ર વિશ્વમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જે અટકાવવા માટે સરકાર દ્વારા માર્ગદર્શીકા બહાર પાડી અને કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડી કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે તા.૨૧/૧૧/૨૦૨૦ થી બીજો હુકમ ન થાય ત્યા સુધી કફર્યુનો અમલ દરરોજ રાત્રીના કલાક ૦૯.૦૦ થી સવારના ૦૬૦૦ સુધી અમલ કરવાનો રહેશે જે કફર્યુ દરમ્યાન રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવુ નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમા તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહી, રખડવુ નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવુ નહી જે અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જે કફર્યુ સમય દરમ્યાન બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો રાજકોટ શહેરની જનતા ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

શહેરના ચાર રસ્તાઓ, એન્ટ્રી પોઇન્ટ તેમજ જાહેર રોડ ઉપર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ તેમજ સઘન પેટ્રોલીંગ ફરી કફર્યુનું પાલન કરાવવામા આવેલ છે જે દરમ્યાન કફર્યુનું પાલન નહી કરનાર વિરૂધ્ધ કુલ ૧૧૪ જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે તેમજ કુલ ૯૨ વાહનો ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.શહેર પોલીસને સહકાર આપી તેમજ બીન જરૂરી બહાર નહી નીકળવા અને ઘરે રહી સ્વસ્થ સુરક્ષીત રહેવા વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ સુત્ર ‘જબ તક દવાઇ નહી તબ તક ઢીલાઇ નહી’ તેમજ મુખ્યમંત્રી દ્વારા આપવામા આવેલ સુત્ર ‘દો ગજ કી દુરી’ની અમલવારી કરવા તેમજ જાહેર જગ્યામાં માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.