દિલ્હીમાં ખેડુતોની ટ્રેકટર પરેડમાં હિંસાત્મક વિરોધ પ્રદર્શન થતા પોલીસ જવાનો ઉપરાંત, જાહેર સંપતિને મોટુ નુકશાન પહોચ્યું છે. રેલી દરમિયાન ૧૦ હજારથી વધુ આંદોલનકારીઓએ ૬ હજાર ટ્રેકટર પર સવાર થઈ ૭૦ થી વધુ બેરીકેટસ તોડી નાખ્યા, પોલીસવાન પર ટ્રેકટરના પૈડા ફેરવી દેવાયા. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડયા છે તો સરકારી સંપત્તિની સુરક્ષા, કાયદો વ્યવસ્થાની અમલવારી, નાગરીકોના જીવને સુરક્ષા પર પણ પ્રશ્ર્નો ઉભા થયા છે. ખેડુતોના આંદોલનના લીધે થતા નુકશાન અને સામાન્ય નાગરીકોના જીવ પર જોખમ ઉભુ થતું હેય તેવા આક્ષેપ સાથે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલથઈ છે. સરકારની સાથે કોર્ટપણ લાલધૂમ થઈ ઉઠી છે. નાગરિકોની જીંદગીને સંપત્તિ સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી. વિરોધ કરવાનો હકક છે પણ અન્યના અધિકારનું હનન કરી વિરોધ કરવો તે બંધારણનો પણ ભંગ છે તેમ સુપ્રિમ કોર્ટે અગાઉ પણ જણાવ્યું હતું.
Trending
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે