Abtak Media Google News

આગામી ૪થી માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા માટે કોર્પોરેશન દ્વારા જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા અનુસાર આગામી ૪ માર્ચે મહાશિવરાત્રી પર્વ નિમિતે મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ કતલખાના બંધ રાખવા, માંસ, મટન અને મચ્છીના વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. જો જાહેરનામું ભંગ કરવામાં આવશે તો તેની સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.