Abtak Media Google News

હાસ્ય કલાકાર લેખક સાંઇરામ દવેએ આપ્યો પ્રેરક સંદેશ

રાજ્ય નહી પરંતુ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમર્થ હાસ્યકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાજકોટના હાસ્ય કલાકાર અને લેખક સાંઈરામ દવેએ સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોનારૂપી મહામારીનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું છે કે, છએક મહિનાથી સમગ્ર વિશ્વ ઉપર એક કપરો સમય ચાલી રહયો છે. કોરોનાએ આપણા બધાના શ્વાસને, આપણા ર્અતંત્રને અને આપણા જીવનને જાણે કે, સ્ટેચ્યું કહી દીધુ હોય તેવું લાગી રહયું છે.

પરંતુ કોઈ પણ રાત ૧૩ કલાકની હોય જ નહી, ૧૨ કલાકે સૂરજ ઉગી જ જવાનો હોય. પરંતુ સાડા અગિયાર કલાકે આપણી ધીરજ ડામાડોળ થઈ જાય છે, આપણી શ્રધ્ધા હચમચી જાય છે. રાજકોટવાસીઓ આજે આપણે બધા એ પરિક્ષાની સાડા અગિયારમી કલાકમાંથી પસાર થઈ રહયાં છીએ. બહું જલ્દી આ રાત પૂરી તઈ જશે અને ૧૨માં કલાકે સૂરજ ઉગશે જ.

આજે જ્યારે સરકાર આટલું કામ કરી રહી છે, તબીબો આટલું સરસ કામ કરી રહયાં છે. દરેક ક્ષેત્રના લોકો કોરોનાને હરાવવા માટે જ્યારે મહેનત કરતાં હોય ત્યારે મને એટલું જ સમજાય છે કે, આજની આ પરિસ્થિતિ આપણે જરાપણ ગભરાયા વિના, હિંમત રાખીને સરકારની માર્ગદર્શિકાનું જો પાલન કરીશું તો જરૂરી હારશે કોરોના, જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.