Abtak Media Google News

અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ કોલ્ડરૂમમાં રખાયેલી બે યુવતીઓનાં મૃતદેહ બદલાઈ જવાની ઘટનાથી હોસ્પિટલની બેદરકારી સામે આવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જયારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભવિષ્યમાં આવી ઘટના બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

બાવળામાં હત્યા કરાયેલી મિતલ જાદવ અને પ્રસુતિ દરમ્યાન મૃત્યુ પામેલી નસરીનબાનું સૈયદનાં મૃતદેહને પી.એમ. રૂમમાં રખાયા હતા. જોકે હોસ્પિટલનાં કર્મચારીઓએ મિતલનાં પરિવારજનોને નસરીનબાનુનો મૃતદેહ સોંપતા મિતલનો મૃતદેહ ન હોવાનું જણાવતા જેની જાણ મૃતક નસરીનબાનુનાં પરિવારજનોને ખ્યાલ આવતા હોસ્પિટલે આવી હોબાળો મચાવ્યો હતો અને દફનાવેલો નસરીનબાનુનો મૃતદેહ બહાર કઢાયો હતો.

વધુ વિગત મુજબ બાવળા નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મિત્રો સાથે મળી મિતલ જાદવ નામની યુવતીની છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાખતા બાદ મિતલનાં મૃતદેહને વી.એસ. હોસ્પિટલ ખાતે રખાયો હતો. જયારે કર્ણાટક પિયર ધરાવતી નસરીનબાનુ આમીદ સૈયદ કામદાર નામની પરિણીતાનું પ્રસુતિ દરમિયાન મોત નિપજતા મૃતદેહને વી.એસ. હોસ્પિટલનાં કોલ્ડરૂમમાં રખાયો હતો.

મિતલનાં હત્યારા ઝડપાઈ જતા પરિવારજનોએ મિતલનો મૃતદેહ લઈ રવાના થઈ ગયા હતા. જયારે નસરીનબાનુ મૃતદેહનું પીએમ કરાવી પરિવારજનો ધોલેરા ખાતે અંતિમક્રિયા કરી રહ્યા હતા ત્યારે મૃતદેહ નસરીનબાનુનો ન હોવાનું માલુમ પડતા પરિવારજનો ટોળા સાથે વી.એસ.હોસ્પિટલ ખાતે દોડી આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને દફનાવેલો નસરીનબાનુનો મૃતદેહ બહાર કાઢયો હતો. કોલ્ડરૂમમાં મૃતદેહ બદલાવેલી ઘટના ભવિષ્યમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શકયતાઓ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.