Abtak Media Google News

મોરબીના વસંત પ્લોટ મિત્ર મંડળ દ્વારા અહીંના રવાપર રોડ વિસ્તારમા રાહદારીઓને ગરમીમાં રાહત આપવા ઠંડી લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વસંતપ્લોટ મિત્ર મંડળ દ્વારા ઉનાળાના પ્રારંભથી દરરોજ રાહદારીઓને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવે છે અને એકતરા છાસ, સરબત અને ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવે છે.જેમાં આજે વસંતપ્લોટ મિત્ર મંડળના સેવાભાવી રેમશભાઈ અને અન્ય સભ્ય દ્વારા રવાપર રોડ પર ચકીયા હનુમાન મંદિર ખાતે ૧૦૦૦ થી વધુ રાહદારીઓને ઠંડી લચ્છી પીવડાવી તૃષ્ણા સંતોષી હતી.

Img 20180511 Wa0088(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.