Abtak Media Google News

આજે સાંજે ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાશે

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા જણાવાયું છે કે તા.૨૭ જુલાઈને શુક્રવારના રોજ શહેર ભાજપ દ્વારા ગૂ‚પૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં કમલેશ મિરાણીએ જણાવ્યું હતુ કે જીવનયાત્રાને પાર પાડવા ગૂરૂ પથદર્શકની ભૂમિકા ભજવે છે. સદગૂરૂ શિષ્યના જીવનને દિશા આપે છે.

આ શુભ દિવસે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગૂરૂપૂર્ણિમાં અંતર્ગત શહેરના તમામ વોર્ડના વિવિધ મંદિરો, આશ્રમોમાં ભાવ અને ભકિતસભર ગૂરૂપૂજનના કાર્યક્રમો યોજવામાં આવેલ છે. તે અંતર્ગત વોર્ડ નં. ૧માં ગંગેશ્ર્વર મહાદેવ, ગાંધીગ્રામ રાધાકૃષ્ણ મંદિર એરપોર્ટ રોડ, ધર્મેશ્ર્વર મહાદેવ મંદિર, ધરમનગર ખાતે, વોર્ડ નં.૨માં વીરમેશ્ર્વર મહાદેવ મંદિર, રેસકોર્ષ પાર્ક, ભોલેશ્ર્વર મહાદેવ મંદિર આમ્રપાલી ફાટક પાસે, વોર્ડ નં.૩માં બેડીનાકા નકલંક મંદિર, વોર્ડ નં.૪માં રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે, રાઘવેન્દ્ર આશ્રમ, કુવાડવા રોડ, ખોડીયાર માતાજી મંદિર કેસરી હિંદ પુલ નીચે, વોર્ડ નં.૫માં રામમંદિર ગોવિંદબાગ શાકમાકેટ તેમજ ઓમ શાંતિ આશ્રમ ખાતે વોર્ડ નં.૬માં દુધેશ્ર્વર મહાદેવ સંત કબીર રોડ, માનીતેશ્ર્વર મહાદેવ મંદિર મેહુલનગર ખાતે, વોર્ડ નં.૭માં રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞીક રોડ, સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ, જાગનાથ મંદિર યાજ્ઞીક રોડ, મોટી હવેલી દરબારગઢ ખાતે, વોર્ડ નં.૮માં સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ, ગાયત્રી મંદિર, અમરનાથ મંદિર, મહાવીર ઉપાશ્રય, આનંદ આશ્રમ, પંડયા અદા સીલ્વર સ્ટોન ખાતે, વોર્ડ ન.૯માં ઓમશાંતિ આશ્રમ રવીરત્ન પાર્ક, સોમેશ્ર્વર મહાદેવ મંદિર સોમનાથ સોસાયટી ખાતે, વોર્ડ નં.૧૦માં જૈન દેરાસર રોયલ પાર્ક, યોગીધામ ત્યાગવલ્લભ સ્વામી કાલાવડ રોડ, કૃષ્ણાશ્રય હવેલી રોયલ પાર્ક ખાતે, વોર્ડ નં.૧૧માં ઓમશાંતિ સેન્ટર, શાસ્ત્રીનગર ૨, સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ખાતે, વોર્ડ નં. ૧૨માં માધવેશ્ર્વર મહાદેવ મંદિર માધવ વાટીકા, સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિર જે.કે. પાર્ક, મોહનેશ્ર્વર મહાદેવ મંદિર પુનીતનગર, ઉદેશ્ર્વર મહાદેવ મંદિર, ઉદયનગર ખાતે, વોર્ડ નં.૧૩માં અન્નપૂર્ણેશ્ર્વર મહાદેવ મંદિર ગૂરૂપ્રસાદ ચોક, ગાયત્રી મંદિર ગીતાનગર, ગંગાસાગર, રામજી મંદિર માયાણીનગર ખાતે, વોર્ડ નં.૧૪માં ધારેશ્ર્વર મંદિર ભકિતનગર સર્કલ, હવેલી લક્ષ્મીવાડી, કુવાવાળી ખોડીયાર મંદિર, ઓમ શાંતિ આશ્રમ ગાયત્રીનગર ખાતે, વોર્ડ નં.૧૫માં મહાકાળી મંદિર ગંજીવાડા મહાકાળી ચોક, શંકર મંદિર ખોડીયારપરા, ગૂરૂ બાલકસાહેબની જગ્યા નવા થોરાળા મેઈનરોડ ખાતે, વોર્ડ નં.૧૬માં રામેશ્ર્વર મંદિરપુનીત સોસા. કમલેશ્ર્વર મહાદેવ મંદિર, રંગીલા હનુમાન મંદિર વિવેકાનંદ નગર ખાતે, વોર્ડ નં.૧૭માં કાશી વિશ્ર્વનાથ કિરણ સોસા. રામજી મંદિર ત્રિશુલ ચોક, રામજી મંદિર બાબરીયા મેઈન રોડ વોર્ડ નં.૧૮માં રણુજા મંદિર કોઠારીયા રોડ, તીરૂપતી મંદિર કોઠારીયા વગેરે જગ્યાએ શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા ગૂરૂનુ પુજન અર્ચન કરી ગૂરૂવંદના કરવામાં આવશે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ તેમજ આગામી કાર્યક્રમો અંતર્ગત આજે સાંજે ૭ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના હોદેદારો, પ્રભારીઓ, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, શહેરના મોરચાના પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો તેમજ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.