Abtak Media Google News

આવતીકાલે જલારામ જયંતિ નિમિતે મહાપાલિકા દ્વારા શહેરના ભાગોળે ઘંટેશ્વર પાસે આવેલા જલારામ પ્રાર્થના મંદિર સુધી સિટી બસ સેવા દોડાવવામાં આવશે.

ઘંટેશ્ર્વર પાસે આવેલા જલારામ પ્રાર્થના મંદિર ખાતે જલારામ જયંતિના દિવસે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે ત્યારે મહાપાલિકા દ્વારા અહીં જવા-આવવા માટે સિટી બસ સેવાના ‚ટ નં.૩૬ કે જે ભકિતનગર સર્કલ થી પરાપીપળીયા ગામના ‚ટને એક દિવસ સુધી જલારામ પ્રાર્થના મંદિર ઘંટેશ્ર્વર સુધી લંબાવવામાં આવ્યો છે. જેનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.