Abtak Media Google News

અર્પણ યુથ ફાઉન્ડેશનન દ્વારા  વ્યસન મુકત ભારત અને સ્વચ્છ ભારત હેઠળ સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતુ. જેમાં ૭૦૦ થી વધુ બાળકોએ જીવનમાં કયારેય વ્યસન કરીશ નહી અને ભારતને સ્વચ્છ રાખીશ ની પ્રતિજ્ઞા લીધી હતી અર્પણ યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ યાત્રામાં સમાજના આગેવાનોએ જોડાયને બાળકોનો ઉત્સાહ અને મનોબળ વધાર્યુ હતું.

આ યાત્રાની શરૂઆત સમસ્ત પાટીદાર સમાજની વાડી, કતારગામ પાસેથી શરૂ થઇ હતી. આ યાત્રામાં બાળકો દ્વારા વ્યસન મુકિત તેમજ સ્વચ્છતાના નારા ગવાતા હતા. આ યાત્રામાં વ્યસનમુકિત અને સ્વચ્છ ભારતના બે સ્લોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સ્લોટમાં બાળકો દ્વાર વ્યસન મુકત રહેવાની અને સ્વચ્છતા રાખવાના શુભ સંદેશોઓ સમાજને પાઠવવામાં આવતા હતા. જે લોકોનું આકષણ કેન્દ્ર બન્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.