Abtak Media Google News

‘નમામિ દેવી નર્મદે’

રાજયના ૯૬ તાલુકાઓમાં પાણીની તંગીની ફરિયાદો ઉઠી છે જેને નર્મદાના પાણી આપીને પૂરી કરી દેવામાં આવશે

રાજયમાં આગામી ૩૧ જુલાઈ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો હાલ મોજુદ છે. જુલાઈના અંત સુધીમાં પીવાના અને ઘરેલુ વપરાશ માટે પાણી ઉપલબ્ધ છે. તેની ખાત્રી કરવા સરદાર સરોવરથી પાણી ઉપલબ્ધ કરાવવા સરકાર સક્રિય છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જણાવ્યું હતુ.

મીડીયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતુકે ૯૬ તાલુકામાં પાણીની સમસ્યા છે. ત્યાં કોઈએ ગભરાવવાની જ‚ર નથી રાજયના તમામ નાગરીકોને હું ખાતરી આપું છું કે પાણી પૂરવઠાની હવે કોઈ સમસ્યા રહેશે નહી.રૂપાણીએ દાવો કર્યો છે કે રાજયમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં ગત વર્ષ કરતા આ વર્ષે પાણીનો પુરવઠો વધુ ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે. કચ્છમાં લગભગ બધા ડેમ ખાલી છે. કારણ કે આ પ્રદેશમાં લગભગ વરસાદ પડયો નથી. નર્મદા પ્રોજેકટના કારણે કચ્છ જિલ્લામાં ગત વર્ષ કરતા ૨૦ ટકા વધુ પાણી મળી રહ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે સામાન્ય રીતે જાન્યુઆરીમાં પાણીની તંગીના મુદાઓને સંબોધવા માટેના પગલા સામાન્ય રીતે જાન્યુઆરીમાં અમલમાં મૂકાયા છે. પરંતુ અપેક્ષીત પરિસ્થિતિની ધારણા કરતા સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબરની કાર્યવાહી કરવાની યોજના ઘડી છે.ઉલ્લેખનીય છે કે, રાજયમાં છેલ્લા થોડા વર્ષોથી ઉભી થતી તંગી અને દુષ્કાળ જેવી સમસ્યાઓ વખતે પાણીનો મુખ્ય સ્ત્રોત માત્ર નર્મદાના નીર જ છે.

હાલમાં નર્મદાના સરદાર સરોવરનાં નીર જ આવી વિકટ પરિસ્થિતિમાં પાણીનું મુખ્ય સ્ત્રોત છે. પરંતુ ભવિષ્યમાં નર્મદામાં પાણી ઓછુ આવે ત્યારે રાજયની સ્થિતિ વિકટ થવાની સંભાવના છે. ત્યારે રાજય સરકારે કલ્પસર યોજના જેવી યોજના બનાવીને સૌરાષ્ટ્ર-ગુજરાતની પાણીની સમયાંતરે ઉઠતી સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ તેવી નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.