Abtak Media Google News

લેખક હર્ષલ પુસ્કરના વિવિધ સ્થળોએ જઈને સિયાચીન વિશે લોકોને માહિતગાર કરશે

સિયાચીનમાં આર્મીના જવાનો કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને ખડે પગે દેશની રક્ષા કરતા હોય છે. જેની હકિકત જણાવતું પુસ્તક ‘આ છે સિઆચેન’નું વિમોચન કરવામાં આવ્યું હતુ. પુસ્તકના લેખક હર્ષલ પુસ્કરનાએ જણાવ્યું કે ભારત દેશના લોકોને સહેજ પણ અંદાજો નથી કે સિયાચીનમાં આપણા જવાનો કેવી કેવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને આપણું અને આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે. આ પુસ્તકમાં સિયાચીનની તમામ વસ્તુઓ દર્શાવવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતુ કે તેઓ વિવિધ સ્થળોએ પ્રવાસ કરીને લોકોને સિયાચીન વિશે માહિતગાર કરશે અને તેની હકિકત જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.