Abtak Media Google News

લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલો, તળાવોમાંથી હત્યા કે આત્મહત્યા કરેલી લાશો મળવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અજાણ્યા વ્યકિતઓની લાશ મળવાના સીલસીલો યથાવત છે. ત્યારે પાટડી અને વણિન્દ્રધામ વચ્ચે કોઈ અજાણ્યા યુવકની લાશ મળતા ચક્ચાર ફેલાઈ છે.

આ અંગે પોલીસને જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી. અને લાશને પી.એમ. અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. ત્યારે એક અજાણ્યા યુવકની લાશ મળતા લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા. ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ લોકોમાં હત્યા કરી ફેંકી દેવામાં આવી હોય તેવી ચર્ચા ઉઠવા પામી છે. યુવાન કયાંનો છે અને આની પાછળનું રહસ્ય શું હોઈ શકે તે અંગે વધુ માહિતી મળી નથી. ત્યારે થરા પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.