Abtak Media Google News

મગજ ભમતો હોવાનું અને મરી જવાનું રટણ કરતી મહિલા બે દિવસ પહેલા મંદિરે દર્શન કરવા જવાનું કહી ગુમ થઈ’તી

શહેરના પોપટપરામાં રહેતી ૨૮ વર્ષિય કોળી યુવતીની બુધવારે ગુમ થયા બાદ આજે રેલનગર ટાઉનશીપ પાસેથી ઘનાભાઈની વાડીના કુવામાંથી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ આપઘાતનો છે કે અન્ય કઈ બન્યું છે ? તે અંગેપોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોછે.

પ્રાપ્ત વિગતો મુજબ પોપટપરામાં રહેતા સંદિપભાઈ દિલીપભાઈ સીતાપરાએ આજે ઘનાભાઈની વાડીએ પાણી વાળવા ગયા હતા ત્યારે કુવામાં મહિલાની લાશ તરતી જોવા મળતા પોલીસને જાણ કરી હતી પ્ર.નગર પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં મૃતદેહ પોપટપરા ૮-૧૦ના ખૂણે રહેતી વર્ષાબેન ડાભી હોવાનું સ્પષ્ટ થતા તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમા અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

મૃતક વર્ષાબેન ડાભીની વર્ષો પહેલા સગાઈ થઈ હતી પરંતુ બાદમાં સગાઈ તુટી જતા તે માતા પિતા અને ભાઈ સાથે રહી કડીયાકામની મજુરી કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી તેનો મગજ ભમતો હોવાથી મરી જવાનું રટણ કરતી હતી. બુધવારે સવારે ૮.૩૦ વાગ્યે ખોડીયાર મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી પ્ર.નગર પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી આજે મૃતદેહ મળી આવતા પરિવારમાં કલ્પાંત સજાર્યો છે.વર્ષાબેને આપઘાત કર્યો છે કે અન્ય કઈ બન્યું છે ? તે અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનના હરેશભાઈ રત્નોતરે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સીક પી.એમ. અર્થે ખસેડયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.