Abtak Media Google News

ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોનાં ૮ લાખથી વધુ ભાવીકો ઉમટશે: તૈયારીઓને અપાતો આખરી ઓપ

ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણાએટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવાગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારનીપરિક્રમા કરવાી મળે છે.

આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુંપ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાં અનેબીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાંશહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ કીડીયારાની જેમઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલજૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવના તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.2 40ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમસુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે ૧૯નવેમ્બરીથી ૨૩ નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિકદ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણી પણ મહત્વપૂર્ણ છે.

કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગઅલગ રીતિ રિવાજોવાળા લોકો કોઈપણ મતભેદ વગર આપરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે.

પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમકેરાજસન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકોગિરનારની સંસ્કૃતિ અને સાધુઓનાં  તપને જાણવાં ભાવપૂર્વકઆવતાં હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે ૮લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે.3 23અલગ અલગ પડાવો વચ્ચેનું અંતરભવનાી ઝીણાબાવાની મઢી: ૧૨ કિલોમીટર ોડું ચઢાણ પછી સીધો રસ્તોઝીણાબાવાની મઢીથી માળવેલા: ૮ કિલોમીટર પર્વત ચડી ઉતરવાનો આમા સરખડીયા થઈને પણ જવાય જે ૧૧ કિલોમીટર થાય તે પણ પર્વત ચડીને ઉતરવાનું.માળવેલાી બોરદેવી મંદિર: ૮ કિલોમીટર નળપાણીનો પર્વત ચડીને ઉતરવાનો બોરદેવીથી ભવના તળેટી: ૮ કિલોમીટર  સીધો રસ્તો લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે: પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોનીવચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાંચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું. ઈંટવા ઘોડી:  જે સાપેક્ષમાં સરળ અને ભવના તળેટી તાઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.

માળવેલા ઘોડી: જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પરાળ છે.નાળપાણીની ઘોડી: આ ઘોડી સૌથી આકરી અને ઘણીઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અનેઆરોગ્ય કેન્દ્ર વિશે લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલો ઊભા કરે છે.

ત્યાં આવતા પરિક્રર્માીઓને ભાવતા ભોજનપીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાંએક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતાજોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેકઠેકાણે ભજન મંડળીઓરાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંતપરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટેકામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે.

લીલી પરિક્રમાનો રૂટ

લીલી પરિક્રમાની શરૂઆત ભવના તળેટીમાં આવેલ દુધેશ્વરમહાદેવના મંદિરી થાય છે. પરિક્રમાનો  રસ્તો કુલ ૩૬ કિલોમીટરલાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. જેમાંવચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જેકુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ ૩૬ કિલોમીટરલાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી,માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લેભવના.

પરિક્રમા સુધી પહોંચવા માટે

જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાતએસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાંઆવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢસુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢસુધી પહોંચી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.