Abtak Media Google News

૧૨મી એપ્રીલ સાતમે ભવ્ય હોમાદિક ક્રિયા ઉજવાશે: રાજાબાવાશ્રી હવનમાં બીડુ હોમશે

ભૂજથી ૧૦૦ કી.મી. અંતરે આવેલ ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવષર્ષની જેમ આસો નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આધ્યા શકિત આશાપુરાની આરશધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યાં ચૈત્રી નવરાત્રી તા. ૫.૪ શુક્રવારના રોજ ભવ્ય પ્રારંભ થશે તા.૫.૪ શુક્રવાર રાત્રે ૯.૩૫ કલાકે ઘટ સ્થાપન થશે.

તા.૧૨ શુક્રવાર ચૈત્રી સુદ ૭ ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે ૯.૪૫ કલાકે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. આ સમયે રાજવી પરિવાર, માઈભકતો, આમંત્રીત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિઆપશે. તેમજ માતાજીની સ્તુતિ શ્ર્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફૂલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે રાત્રીનાં ૧.૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી હવનમાં બીડુ હોમશે.માં આશાપુરાના જયઘોષ સાથે ‘માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છનાં માઈભકતોમાં આશાપુરાના દર્શન કરવા જાય છે.

કચ્છ ધણીયાણીમાં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસની સેવા ચાકરી કરતા કચ્છી માડુ પદયાત્રીઓને વિનામૂલ્યે વિના સંકોચ બોજન, ચા દુધ, દવા વગેરે જ‚રી ચીજ વસ્તુઓની સેવા આપે છે. સેવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઈને પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વ‚પે સાથે છે તેવો અહેસાસ અનુભવે છે. ચૈત્રી નવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીનાં પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા, બીજાદિવસે બ્રહ્મ ચારીણી પૂજા, ત્રીજા દિવસે ચંદ્રઘંટા પૂજા, ચોથા દિવસે કુષ્માંડા પુજા, પાંચમાં દિવસે સ્કંદમાતા પુજા, છઠા દિવસે કાન્યાયની પુજા, સાતમા દિવસે કાલરાત્રી પુજા, આઠમા દિવસે મહાગૌરી પુજા, નવમા દિવસે સિધ્ધદાત્રી પુજા, આમ ચૈત્રી નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ નિજ મંદિરમાં હનુમાનજી, ગણેશજી, શિવજી તેમજ ક્ષેત્રપાળ દાદાના મંદિરો છે.

માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને રાહત કેમ્પોમાં વિનામૂલ્યે જમવાનું રહેવાનું, મેડીકલ સારવાર નાતજાતનાં ભેદભાવ વગર પુરી પાડવામાં આવે છે.માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા રહેવા, ચા વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુ:ખોનો નાશ થાય છે. લાખો શ્રધ્ધાળુઓની આશાઓ પરીપૂર્ણ થાય છે. ભકતો માં આશાપુરાના વંદન કરી વિદાય લે છે ફરી આવે માં ના નોરતાની રાહ જોવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.