Abtak Media Google News

બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ-રાજકોટ દ્વારા તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રાજકોટ ખાતે ૨૮મો સમુહલગ્ન યોજાયેલ તેમાં ૯ નવદંપતિ જ્ઞાતિના રીતરિવાજ મુજબ લગ્નગ્રંથીથી જોડાયેલ. નવદંપતીઓને ૧૪૨ વસ્તુઓ ભેટ‚પે આવેલ જેમાં કબાટ, મામટ, કંસારના ઠામ, ઘર વખરીની ચીજો વગેરે આવેલ. સમુહલગ્નોત્સવમાં લગભગ જ્ઞાતિજનોની ૬ થી ૭ હજારની હાજરી આપી સમુહલગ્નને ચાર ચાંદ લગાવેલ હતા.

સમારંભ પ્રમુખ ધનરાજ ખત્રી ગાંધીનગરથી પધારેલ દિપ પ્રાગટય અનિલભાઈ જેતપુરથી પધારેલ તેમજ અતિથિ વિશેષ નરેન્દ્રભાઈ માધુ થરાદથી અને ડો.રમેશભાઈ વાઢેર અમદાવાદથી તેમજ સવિતાબેન સોનેજી રાજકોટથી ભરતભાઈ ખખ્ખર ભાવનગરથી તેમજ જીતુભાઈ સોનેજી રાજકોટથી તેમજ શાંતીભાઈ છાટબાર સાવરકુંડલાના શુભ હસ્તે થયેલ હતું.

સંસ્થાના પ્રમુખ નિકુંજભાઈ જાડા તથા વિનોદભાઈ મેર, મયુરભાઈ જાડા, જીતેન્દ્રભાઈ બોસમીયા, પ્રફુલભાઈ મર્થક, રાજુભાઈ ગરાચ, અતુલભાઈ જાજલ, વિનુભાઈ બોસમીયા, જયપ્રકાશભાઈ મામતોરા, સુરેશભાઈ મામતોરા, ભુપેન્દ્રભાઈ મામતોરા, નિતીનભાઈ જાજલ, મયંકભાઈ જાજલ, યોગેશભાઈ જોગી, ભરતભાઈ છાંટબાર, જીતુભાઈ પડિયા, જયંતિભાઈ જાજલ, હસુભાઈ મણીયાર, ધવલભાઈ મેર, જગદીશભાઈ પડીયા, નરેશભાઈપડીયા, ભારતીબેન શનિશ્વરા તથા તમામ કાર્યકરોના સાથ અને સહકારથી તથા દરેક જ્ઞાતીજનોના ઉત્સાહથી યથાયોગ્ય સહકાર મળેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.