Abtak Media Google News

ગારીયાધાર સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત વી.ડી.વાઘાણી વિદ્યાસુંકલની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો સંયુકત વાર્ષિકોત્સવ તાજેતરમાં યોજાયો હતો. આ ઉપક્રમે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, એઆઈએમ અંતર્ગત એનઆઈટીઆઈ આયોગ સમર્થિત એટીએલની ટીન્કરીંગનું ઉદઘાટન, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક સન્માન, સંસ્થાના કર્મચારીઓનું તથા સામાજિક પ્રવૃતિઓમાં વિદ્યાયક વિશિષ્ટ પ્રદાન આપનારા નગરના ૩૩ વ્યકિતઓનું બહુમાન આ કાર્યક્રમનું આકર્ષણ બન્યું છે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, કોબડી આશ્રમના મહંત પૂજય જયદેવચરંનજી મહારાજ, બીડીસી બેંકના ચેરમેન નાનુભાઈ વાઘાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ વિજયભાઈ દેસાણી, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ, મામલતદાર ભૂમિકાબેન કોરિયા, ટીડીઓ કે.આર.ચુડાસમા, ટીપીઈઓ અજયભાઈ જોશી, પીએસઆઈ કે.એચ.ચૌધરી, પરવડી કેળવણી મંડળના પ્રમુખ જગુભાઈ ખેની, કોંગ્રેસ અગ્રણી અને દાતા વલ્લભભાઈ માણીયા, બીએમસી આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન ગોવિંદભાઈ મોરડિયા અને અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટીએલ લેબનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાનગી શાળા હોવા છતાં સંસ્થા સાથે બે દાયકાઓથી સંકળાયેલા, પ્રાથમિક વિભાગના બે ગુરુજનોને જાણે ગ્રેચ્યુટી હોય એમ માતબર રકમની ભેટ આપી સૌએ બિરદાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.