રાષ્ટ્રસંત પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામમાં પ્રાંગણે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ભગવાન મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. દિવ્ય અવસરને ભાવિકોએ નૃત્યગાનની ભકિત કિર્તનો સાથે જન્મોત્સવનાં ભવ્ય વધામણા કર્યા હતા. આ પાવન પ્રસંગે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ સ્વપ્નોની રજવાડી વણઝારનાં દિવ્ય દર્શને ઉદાર દિલ ભાવિકો સાડા ત્રણ કરોડનું અનુદાન આપીને મનમૂકીને વરસ્યા હતા. હજારો ગરીબ પરિવારોને મિષ્ટ અન્ન પીરસાયું હતુ અને પીંજારામાં પૂરાયેલા ૨ હજાર પક્ષીઓને ગગનમાં છોડવામાં આવ્યા હતા. પાંચમા દિવસનાં સંઘપતિ ઉર્મિલાબેન સુરેશભાઈ શાહ પરિવારના ચિંતનભાઈ શાહ દ્વારા અત્યંત અહોભાવ પૂર્વક કરવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક