Abtak Media Google News

મોચી જ્ઞાતિના સંત લાલાબાપાનો ૧૩૮મો જન્મોત્સવ તા.૨૪-૧૦ને બુધવારે શરદ પુનમના રોજ નિજ મંદિર લાલ મંદિર મહંત પરસોત્તમદાસજીના માર્ગદર્શન હેઠળ મહોત્સવની ઉજવણી થશે.

પૂ.બાપાના નિજ મંદિર લાલ મંદિર, દેવપરા ખાતે તા.૨૪ના રોજ સવારે લાલ ગુરૂ અમૃત યજ્ઞ-ચરણ પાદુકા પૂજન-ધજા આરોહણ-બહારગામથી પધારેલા જ્ઞાતિના પ્રમુખો-મંડળના પ્રમુખો તથા લાલ ભકતજનોની વિશેષ હાજરીથી સવારે ૧૧-૩૦ કલાકે લાલગુ‚ અમૃતયજ્ઞનું બિડુ હોમવામાં આવશે.

ત્યારબાદ વેરી દરવાજાની અંદર (ખત્રીવાડી) ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતી-કેક કાપી ઉજવણી તથા જ્ઞાતિ સંસ્થાના આગેવાનોનો સત્કાર સમારંભ સાથે જ્ઞાતિના મુક સેવકોનો સન્માન-સમારંભ તેમજ સમૂહ પ્રસાદ ભોજન બપોરે ૧૨-૩૦ કલાકે રાખવામાં આવ્યું છે.

તેમજ પૂ.બાપાની ૧૩૮ મો જન્મોત્સવમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, કારોબારી ચેરમેન રાજભા જાડેજા, તેમજ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પિપળીયા, મોચી સમાજના કાર્યકર્તાઓ, એસ.એન.ચૌહાણ રાજકોટ, મનોજભાઈ ચુડાસમા, જામનગર, મહેન્દ્રભાઈ નાગર, સુરેન્દ્રનગર નટવરલાલ એન.ચૌહાણ તેમજ સમગ્ર મોચી સમાજની વિશાળ હાજરીમાં મહોત્સવ ઉજવશે તેમ લાલાબાપા મંદિરધામ ગોંડલ મહંત પરસોતમદાસજી, વ્યવસ્થાપક ભરતભાઈ ચુડાસમાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.