Abtak Media Google News

લાંબી સારવાર બાદ મહિલાએ દમ તોડતા પરિવારમાં અરેરાટી

થાનગઢમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળી પોતાની જાત જલાવતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં લાંબી સારવાર બાદ મહિલાએ દમ તોડતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનગઢ આંબેડકરનગરમાં રહેતી મંજુબેન મનસુખભાઈ ચૌહાણ નામની ૪૦ વર્ષિય મહિલાએ પોતાના ઘરે જાત જલાવી જીવન ટુંકાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. બીમારીથી કંટાળી મહિલાએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર હાલતમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી લાંબી સારવાર બાદ મંજૂબેનની હાલતમાં સુધારો ન આવતા તેમણે સારવાર દરમિયાન દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.