Abtak Media Google News

રાજકોટ રાજયના પ્રજાવત્સલ રાજવી મનોહરસિંહજી જાડેજાનું તાજેતરમાં અવસાન થયું છે. રાજપરિવાર ઉપર આવેલી વિકટવેળાએ ઠેર ઠેરથી સાંત્વનાઓ મળી રહી છે. ત્યારે પૂ. મોરારીબાપુ પણ રણજીત વિલાસ પેલેસ ખાતે રૂબરૂ પધાર્યા હતા પૂ. મોરારી બાપુએ પૂ. દાદાને પુષ્પાંજલ અર્પણ કરી માંધાતાસિંહજીને સાંત્વના પાઠવીને રાજપરિવાર પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી. આ તકે પૂ. મોરારીબાપુએ પૂ. દાદા સાથેના સંસ્મરણો પણ વગોવ્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. દાદાના નિધન વખતે પૂ. મોરારીબાપુ જોર્ડન હતા ત્યારે તેઓએ માંધાતાસિંહજીને સંબોધીને એક પત્ર પણ લખ્યો હતો.

દાદાના નિધન વખતે જોર્ડનથી પૂ. મોરારીબાપુએ લખેલો પત્ર

આદરણિય મહારાજ સાહેબ-રાજકોટ માંધાતા સાહેબ, જય સિયારામ, હું અત્યારે જોર્ડન છું મને સમાચાર મળ્યા કે આદરણીય દાદા નિર્વાણ પામ્યા છે.રામકથા પ્રેમી અને એક આદર્શ રાજ પુરૂષે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આવા મહાન વ્યકિત માટે શોક ન હોય, શ્ર્લોક જ હોય. એમના નિર્વાણને મારા પ્રણામ, સદ્ગતને શ્રધ્ધાંજલી સાથે પુરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.