Abtak Media Google News

અનેક જગ્યાએ પાઇપ લાઇન બેસી ગઇ.

લખતર લખતર ના ભાલાળા ગામે  નર્મદા નિગમ દ્વારા નાખવા માં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપ લાઈન માં ખેડૂત દ્વારા પોતાના ખેતર માં પાણી લાવવા માટે પાણી ચાલુ કરાતા નમર્દા નિગમ ની ગેરરીતિ બહાર આવી

લખતર ના ભાલાળા ગામના ખેડુત રાણા મહેશસિંહ જીલુભાને પોતાના ખેતર માં પાણી પાવાની જરૂર જણાતા તેઓ પોતાના મામાની દેરી પાસે આવેલા ખેતર ગયા હતા જ્યાં તેમના ખેતર માં નર્મદા નિગમ દ્વારા અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન નાખેલી હોય તેમને પાણી લઈ જવા માટે પાઇપ લાઈન લંબાવી નહિ પડે ત્યારે આગળના ખેતર વાળા એ પાણી ચાલુ કરેલ હોય મહેશસિંહ ના ખેતર માં પાઇપ લાઈન બેસી ગયેલ હતી અને ખેતર ની બન્ને સાઈડ માં આવેલી કુંડી ના બ્રિધરવાલ્વ તદ્દન તૂટેલી હાલત માં હતા અને ખેતર માં બન્ને કુંડી વચ્ચે ની પાઈપ લાઈન બેસી ગયેલ હોય ત્યાં પાણી ભરાયા હતા આથી તેઓએ અધિકારીઓને જાણ કરવાને ત્રણ દિવસ થયા હોવા છતાં કોઈપણ અધિકારી ત્યાં ખેતરની કે પાઇપ લાઈન કે કુંડીની હાલત જોવા આવેલ નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.