જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો હતો. પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફની ૧૧૦ બટાલીયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો રોડ ઓપનીંગ ડ્યુટી (આરઓપી) કરતા હતા ત્યારે આતંકીઓએ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતાં. એમાંય જવાનો ઘવાયા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લઈ શોધકોળ અભિયાન હાથ ધરાયું છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. સીઆરપીએફની ૧૧૦ બટાલીયનના જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે પુલ નજીકનો રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતા હતા ત્યારે આ હુમલો થયો હતો. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Trending
- આખરે બાબા રામદેવે છાપામાં મોટા કદનું છાપાવ્યું માફી પત્ર, જાણો શું લખ્યું છે???
- બે દિવસમાં ગરમીનો પારો ફરી 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
- 12.20 લાખ લોકો કરશે પ્રથમવાર મતદાન
- RTEનો બીજો રાઉન્ડ બે દિવસમાં જાહેર થાય તેવી શક્યતા
- શનિવારથી ગુજરાતમાં વડાપ્રધાન મોદી,અમિત શાહ કરશે ઝંઝાવાતી પ્રચાર
- ફકત છેલ્લા 15 માસમાં 14117 કેસો દ્વારા લોકોએ રૂ. 7.41 કરોડનો RTOને ‘ચાંદલો’ કર્યો
- યુપીની બોર્ડ ટોપર પ્રાચી નિગમને દેખાવને લઈને નિશાન બનાવાઈ
- અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા ભારતના સૌથી જૂના હિલ સ્ટેશનો પર લોકોની ભીડ