Abtak Media Google News

યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટર અને શિક્ષણ વિદ્યાશાખાના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું આયોજન

પ્રવર્તમાન સમયમાં શિક્ષક થવા માટે બી.એડ.ની પદવી ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આપવાની થાય છે. આ પરીક્ષાઓને આધારે છેલ્લા પાંચ-સાત વર્ષમાં અસંખ્ય યુવાનોને શિક્ષક તરીકે રોજગાર પ્રાપ્ત થાય છે. બી.એડ.ના જ ગુણને બદલે વિદ્યાર્થીએ આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષા અત્યંત મહત્વની હોય છે. વિદ્યાર્થી આ પરીક્ષામાં સફળતા મેળવી શકે તે માટે જ‚રી માર્ગદર્શન મેળવી શકે તેવા હેતુસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટર અને શિક્ષણ વિદ્યાશાખાના સંયુકત પ્રયાસથી વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે વિદ્યાર્થીઓએ બી.એડ.નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે અથવા હાલમાં ત્રીજા સેમેસ્ટરમાં જેઓ પ્રવેશ મેળવવાના છે તે તમામ વિદ્યાર્થીઓ આ કોચીંગમાં માર્ગદર્શન મેળવવા આવી શકશે. આ માર્ગદર્શન વખતે વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન, ભાષાકીય જ્ઞાન ઉપરાંત ટેટ-ટાટની પરીક્ષા માટે જ‚રી એવું શિક્ષક અભિયોગ્યતા માટેની તૈયારી કરાવવામાં આવનાર છે.

આ તાલીમ વર્ગમાં જે વિદ્યાર્થીઓ જોડાવવા માંગતા હોય તેઓએ સીસીડીસી કાર્યાલય ૧૦૪, એકેડેમિક સેન્ટર, પ્રથમ માળ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે ‚બ‚ આવી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૦૧/૦૬/૨૦૧૭ થી તા.૦૯/૦૬/૨૦૧૭ સુધીમાં રજાના દિવસ સિવાય સવારે ૧૦ થી ૪ દરમિયાન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન સમયે સ્કૂલ લિવિંગની ઝેરોક્ષ, ટેટ-૨નું ઓનલાઈન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, બી.એડ.ની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટની ઝેરોક્ષ, બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે. રજિસ્ટ્રેશન ફી પેટે ‚ા.૧૦૦૦/- નિર્ધારીત કરવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તાલીમ વર્ગો માટે બીજી અન્ય કોઈ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી. આ તાલીમ વર્ગમાં બે બેચ કરવાની હોય એક બેચનો સમય ૨ થી ૬ અને બીજી બેચનો સમય ૪ થી ૬નો રહેશે.

આ તાલીમ વર્ગોને સફળ બનાવવા માટે એજયુકેશન ફેકલ્ટીના ડીન ડો.જનકભાઈ મકવાણા, ડો.નિદતભાઈ બારોટ અને ટીમ સીસીડીસી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.