Abtak Media Google News

છેલ્લા પાંચ વર્ષમાં નવી બનેલી સોસાયટીના કોન્ટ્રાકટરો દ્વારા નિયમ મુજબ વૃક્ષ વાવેતરની જવાબદારી નિભાવાઈ ન હોય યોગ્ય પગલા લેવા રજૂઆત

જામનગર મહાનગપાલીકાએ આગામી ચોમાસાને ધ્યાને લઈ શહેરમાં ૪૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખી રૂ.૪૦ લાખથી વધુનાં ખર્ચે આયોજન હાથ ધર્યું છે. પર્યાવરણ અને સારા વરસાદ માટે વૃક્ષો આવશ્યક હોવાથી તેનું વાવેતર થાય તે આવકાર્યે અને અભિનંદનીય છે.

પરંતુ જામનગર મહાનગરપાલીકાની હદમાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલી સોસાયટીનું નિર્માણ થયું છે. તેના બિલ્ડર ડેવલોપર્સ દ્વારા બિનખેતી વખતે અને બાંધકામની મંજૂરી પૂર્વે લેવાયેલી બાંહેધરીનો અમલવારી નિષ્ઠાપૂર્વક કરાવાય તો ૪ હજારથી પણ વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર શકય બને અને તે પણ મહાનગરપાલીકાની તિજોરી ઉપર બોજો નાખ્યા વગર.

છેલ્લા પાંચ વર્ષમાં જેટલી સોસાયટીઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી મોટાભાગની સોસાયટીના બિલ્ડરો અને ડેવલોપર્સ દ્વારા વૃક્ષોના વાવેતરની જવાબદારી આજ સુધી નિભાવાઈ નથી.આવી સોસાયટીઓનો સર્વે કરી તેના નિર્માણકારોને નિયમ મુજબ વૃક્ષોના વાવેતર અને ઉછેરની જવાબદારી નિભાવવાની ફરજ જામનગર મહાનગરપાલીકાના તંત્રે પાડવી જોઈએ અને આ માટે સહકાર ન આપનારા સામે ધોરણસરના પગલા પણ લેવા જોઈએ. તેમ ન.પ્રા. શિક્ષણ સમિતિના સભ્ય નીતીન માડમે કમિશ્નરને લેખીત રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.