Abtak Media Google News

પરિવારજનો અને ગ્રામજનોને જાણ થતા તાંત્રિકને લમધારતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

રૈયા ચોકડી નજીક આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષિય પરિણીત કૌટુંબીક ભત્રીજી પર શાંતિ માટે વિધીના બહાને ૫૯ વર્ષિય આધેડએ પોતાના ઘરે અને ગામડે બોલાવી બે બે વખત દુષ્કર્મ આચાર્યાનો બનાવ મહિલા પોલીસ મથકે નોંધાયો છે. જેની પરિવારજનો અને ગ્રામજનોને જાણ થતા ઢોંગી તાંત્રિક આધેડને લમધારતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનાર મહિલાનો પતિ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હોય અને ધંધો મંદો ચાલતો હોવાથી પાડોશમાં ધરમનગર આવાસમાં રહેતા કૌટુંબીક મોટાબાપુ યોગેશ ઉર્ફે ભીખુ કાસીરામ કુબાવત તાંત્રિક પાસે સમાધાન માટે વાત કરી હતી તાંત્રિક કાકાએ નજર બગાડી વિધીના બહાને વશમાં કરી દેવો, રિસાયા છે. અને પતિને નુકશાન થશે એવી વાતોએ ડરાવી ધમકાવી બે મહિના પહેલા પરિણીતાના ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતુ. ભત્રીજીએ ડરી કોઈને જાણના કરતા એ વાતનો ફાયદો લઈ યોગેશ ફરી વિધીના નામે કોટડાસાંગાણી નજીક હડમતાલા બોલાવી ફરી દુષ્કર્મ  આચર્યું હતુ.

ભત્રીજીએ તાંત્રિકના ત્રાસથી કંટાળી પરિવારના સભ્યોને જાણ કરતા પરિવારજનો અને ગ્રામજનોએ ઢોંગી તાંત્રિકને લમધારતા સારવાર અર્થે રાજકોટ સીવીલમાં ખસેડાયો હતો. ફોજદાર સોલંકી, હાજીભાઈએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.