Abtak Media Google News

સબ ટીવીની પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હોટ ફોવરેટ પાત્ર ભજવનાર દયાભાભી છેલ્લાં ૧૦ વર્ષથી આ શોનો એક હિસ્સો બનીને રહ્યા છે. તારક મહેતા સિરિયલ શોમાં દયા બહેનનું પોપ્યુલર પાત્ર ભજવનાર એકટ્રેસ દિશા વાકાણી છેલ્લાં દોઢ વર્ષથી વેકેશન પર હતી. દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૫માં મુંબઈના ચાર્ટ્ડ અકાઉન્ટન્ટ મયૂર પડિયાની સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૭માં દિશા વાકાણીએ પુત્રી સ્તુતિને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મબાદ દિશા વાકાણી આ શોથી દૂર હતી. દિશા વાકાણી છેલ્લાં ૧૦ વર્ષથી તારક મહેતા સાથે જોડાયેલી છે.

Bbmzgnlદિશાના આ શો છોડવા પાછળ બે કારણ જણાવવામાં આવ્યા છે. પહેલું એ કે દિશા વકાણી આ સીરિયલમાં વાપસી કરવા માટે વધારે ફી માંગી રહી છે. જે કદાચ મેકર્સને મંજૂર ન હતી. અને બીજો એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે એ પોતાના બાળકની દેખભાળ કરવા ઇચ્છે છે, જેના કારણે એ શો માં ફરીથી આવવા માટે તૈયાર નથી. પરંતુ સાચું કારણ શું છે તે હજી સામે આવ્યું નથી.એવા સમાચાર મળી રહ્યા છે કે આ શોની ચમક એટલેકે દયાભાભી હવે આ શો માં જોવા મળશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.