Abtak Media Google News

વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પધરામણી

જ્યાં ભગવાન સ્વામિનારાયણ ૨૬ વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહી, પરમહંસો અને હરિભકતો સાથે લીલા કરી, અનેક જીવોનો ઉદ્ધાર  કર્યો છે એવા પવિત્ર  ગઢપુર ધામમાં, ગોપીનાથ મંદિરના પ્રાંગણમાં, તા.૨૧મે મંગળવારથી તા.૨૭ મે સોમવાર સુધી ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર શ્રીહરિકૃષ્ણ ચરિત્રા મૃત સાગર સપ્તાહ પારાયણનું આચોજન કરવામાં આવેલ છે.

કથાના વક્તા તરીકે કુંડળધામમાં વિરાજીત પ.પૂ.સદ્. જ્ઞાનજીવનદાસજી સ્વામી સંગીતના સથવારે, સુમધુર સ્વરે કથામૃતનું પાન કરાવશે. કથા પારાયણના મુખ્ય યજમાન તરીકે અ.નિ. કેશુભાઇ હરિભાઇ બલરની પુણ્ય સ્મૃતિમાં તેના પુત્ર ભીમજીભાઇ કેશુભાઇ બલર અને તેનો પરિવાર રહેલ છે. તા.૨૧ સવારે ૮ કલાકે ભવ્ય પોથી યાત્રા લક્ષ્મીવાડીથી કથા સ્થળ મંદિર સુધી નીકળશે અને કથા પ્રારંભ થશે.

તા.૨૬ મે રવિવારના રોજ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ, ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પ્રથમ વાર પધારતા ૫૦૦ પરમહંસો અને હરિભકતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને તેજ રાતે ૮ કલાકે લક્ષ્મીવાડીમાં વિરાટ સભાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૭ મે સોમવારના રોજ સવારે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજનો મહાઅભિષેક કરવામાં આવશે અને ઠાકોરજીને અન્નકૂટ ધરાવી પૂ. આચાર્યમહારાજ રાકેશપ્રસાદજી મહારાજ આરતિ ઉતારશે.

આ મહોત્સવ પ્રસંગે ગઢડા મંદિર ચેરમેન શાસ્ત્રી હરિજીવનદાસજી સ્વામી, નવા નિમાયેલા મુખ્ય કોઠારી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (ભાવનગર), સહાયક કોઠારી  હરિપ્રસાદદાસજી સ્વામી (બોટાદવાળા), મુખ્ય કોઠારી નારાયણપ્રસાદદાસજી સ્વામી, ભાનુપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર), શાસ્ત્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી ગઢડા, શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશધાસજી સ્વામી વડતાલ, શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર), શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અમદાવાદ મહંતશ્રી, કોઠારી દેવનંદનદાસજી સ્વામી જુનાગઢ,  દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ ગુુરુકુલ, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી વડતાલ, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી મેેમનગર ગુુરુકુલ,  દેવપ્રકાશદાસજી સ્વામી ચેરમેન વડતાલ, કોઠારી ધર્મપ્રિયદાસજી સ્વામી ધંધુકા, પુરાણી ભકતિતનયદાસજી સ્વામી મહુવા,  ધર્મનંદનદાસજી સ્વામી ભૂજ, પુરાણી સ્વયંપ્રકાશદાસજી સ્વામી ટાટમ, પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી નાસિક, સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી ધોલેરા, પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી સુરત ગુરુકુલ, કોઠારી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી સાળંગપુર, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી સ્વામી વડતાલ, પુરાણી ભાનુપ્રસાદદાસજી સ્વામી લાઠીદડ, શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, પુરાણી કેશવચરણદાસજી સ્વામી, શાસ્ત્રી નિર્લેપદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.